આ નેતાએ ભાજપના કમલમમાં બેસી AAPને શ્રેષ્ઠ ગણાવી


  • Published By :
  • Published Date : 2022-11-11 18:26:12

ગુજરાત વિધાનસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષોના અલગ અલગ રંગ દેખાઈ રહ્યા છે પક્ષ પલટાની સિઝન ચાલી રહી છે,રાજકોટમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે જેમાં રાજ ભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડીને ફરી કેસરીયો ધારણ કર્યો છે આજે કમલમ્ ગાંધીનગરના ભાજપના મુખ્ય કાર્યાલય પર જઈને તેમણે ભાજપમાં જોડાવાની વિધિ પૂર્ણ કરી છે. જોકે જાણે હજુ પણ મનથી આપને છોડી શક્યા ન હોય તેમ તેમણે ભાજપના કમલમ કાર્યાલય પર બેસીને ભુલથી કહી દીધું કે AAP શ્રેષ્ઠ સંગઠન છે. જોકે બાદમાં પોતાની ભુલ સુધારી લીધી હતી.


રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીના સક્ષમ નેતાઓમાં સ્થાન ધરાવે છે રાજભા ઝાલા તેઓ અત્યારે બીજા ટેકેદારો સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.