ભારત દેશમાં આ જ તો થાય છે... શા માટે સીએમની ટ્વિટ પર યુઝરે કરી આવી કમેન્ટ? અમદાવાદમાં સર્જાયેલા અકસ્માત સાથે જોડાયેલી છે ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-07-20 11:30:02

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થારનો અકસ્માત થયો. ડમ્પર વાળો તો નીકળી ગયો પણ થાર ત્યાં જ હતી, રાત્રે નીકળતા લોકો અકસ્માત જોવા માટે ત્યાં ઉભા રહ્યા. પોલીસના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ પણ ત્યાં હાજર રહીને સ્ટેટમેન્ટ નોંધી રહ્યા હતા ત્યાં જ અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલના યુવાન દિકરા તથ્ય પટેલની જેગુઆર આવે છે.100થી વધારેની સ્પીડ પર ચાલતી ગાડીએ અનેક લોકોને પોતાની અડફેટે લીધા અને 9 લોકોના મોત થઈ ગયા. 

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત

ઘટનામાં 9 લોકોના મોત થયા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો અને સહાય આપવાની જાહેરાત કરી છે. ટ્વિટ કરી સીએમે લખ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. પરંતુ સીએમની ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મુખ્યત્વે લોકો કહી રહ્યા છે કે શું પૈસા આપવાથી લોકોના જીવ પાછા આવશે? 


સીએમની ટ્વિટ પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

જ્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તે બાદ મૃતકોના પરિવારને તેમજ ઈજાગ્રસ્તોને સહાયની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં  આવતી હોય છે. ઉપરાંત અનેક વખત કેન્દ્ર સરકાર દ્વારા પણ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર નબીરાની ગાડીથી દુર્ઘટના સર્જાઈ અને 9 લોકોના મોત થયા. આ ઘટનાને લઈ સવારથી સમાચાર ચાલી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ તેમની ટ્વિટ પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


બીજાના ભૂલની સજા નિર્દોષ લોકો કેમ ભોગવે? 

JV નામના વ્યક્તિએ લખ્યું કે સાહેબ, આ એક સારી ચેષ્ટા છે. પરંતુ શું આ રૂપિયા સરકારી તિજોરીમાં થી ભલે અત્યારે તુરંત સહાય માટે આપવામાં આવે પરંતુ આનાથી દસ ગણા રૂપિયા પેલા નબીરા પાસેથી જે એક અબજોપતિ ની ઓલાદ છે એની પાસેથી વસુલવા માટે કોઈ કાર્યવાહી ન થઈ શકે? ભૂલ એની એમાં જનતા એ શા માટે ભોગવવું રહ્યું? વિચાર કરજો. તો કિષ્નાએ લખ્યું કે સાહેબ સહાય આપવાથી માણસ પાછા નહીં આવે તાકાત હોય સરકારની તો દાખલો બેસાડો જેથી અમે આપને આપેલાં વોટની કિમત થાય આપ પાસેથી અપેક્ષા છે અમને. તો સૌરભ પટેલે લખ્યું કે સજા ક્યારે અપાવશે? તો માહિર પટેલ નામના વ્યક્તિએ લખ્યું કે પોલીસ વાળા પૈસા લઈને કેસ દબાવી દેશે. આજ તો થાય છે ભારત દેશમાં. આવા અનેક યુઝર્સ છે જેમણે પોતાની સંવેદના સીએમના ટ્વિટમાં દર્શાવી છે.          











થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!