બ્રિટેનમાં રાજા રાણીની આ હોય છે ભૂમિકા! વિધી વિધાન સાથે થઈ ચાર્લ્સ-કેમિલાની તાજપોશી! 70 વર્ષ બાદ યોજાયો સમારોહ !


  • Published By :
  • Published Date : 2023-05-07 11:33:00

ભારતમાં એક સમય એવો હતો જ્યારે રાજાઓ રાજ કરતા હતા. આપણે ત્યાંથી રાજાશાહીનો જમાનો ગયો એનો જમાનો ગયો પરંતુ બ્રિટનમાં હજુ પણ રાજાનું શાસન ચાલી રહ્યું છે. આજે કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક થયો. બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ યોજાયો હતો. પણ સવાલ અહીં એ થાય કે ચાર્લ્સ રાજા તો બની ગયા પણ તેમને કામ શું કરવાનું હોય છે કારણ કે ત્યાં પણ સંસદ છે. તેમના માતા ક્વીન એલિઝાબેથ સેકન્ડ પણ દાયકાઓ સુધી રાણી રહ્યા પણ  તેમને કામ શું કરવાનું હોય છે.

किंग चार्ल्स

બ્રિટેનમાં રાજા-રાણીની આ હોય છે જવાબદારી!

આપણે ત્યાં સંસદીય પ્રણાલી છે પણ બ્રિટનમાં સંસદીય રાજપ્રણાલી છે. આપણે અહીંયા જેમ રાષ્ટ્રપતિ છે તેવી જ રીતે બ્રિટનમાં રાજા કે રાણી હોય છે. પદ મળે છે તો જવાબદારી પણ આપોઆપ આવી જાય છે. જો કિંગ કે ક્વીનના જવાબદારીઓની વાત કરીએ તો કિંગના સૌથી મોટા કામમાંથી એક છે બ્રિટનની ચૂંટણી પછી સરકારની પસંદગી કરવી. 


સરકાર બનાવા જીતેલા પક્ષને આપે છે આમંત્રણ!

આપણે ત્યાં જેમ ચૂંટણી જીતનાર પાર્ટીને સરકાર બનાવા રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે તેમ ત્યાં ચૂંટણી જીતનાર પાર્ટીના નેતાને કિંગ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. અને તેમને બકિંઘમ પેલેસ બોલાવામાં આવે છે. કિંગ ધારે તો ચૂંટણી પહેલા સરકાર ભંગ પણ કરી શકે છે. તે સિવાય આપણે ત્યાં કોઈ બિલ પાસ કરવાનું હોય તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જોઈએ તેવું ત્યાં પણ થાય છે. સંસદમાં બિલ બને છે અને પછી તેને કાયદો બનાવા માટે રાજા પાસે સહી કરવા મોકલાવાય છે. આ સિવાય રાજા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ કહેવાય છે. તો કિંગ ચાર્લ્સના ફોટો પણ નોટ પર જોવા મળશે.. અત્યાર સુધી રાણીનો ફોટો ચાલતો હતો જે હટશે અને કિંગ ચાર્લ્સ થર્ડનો ફોટો ઉમેરાશે... 

Image

Image

બ્રિટનમાં ચાર્લ્સ- કેમિલાની થઈ તાજપોશી!

બ્રિટનના રાજા ચાર્લ્સ થર્ડે વેસ્ટમિંસ્ટર એબેમાં શપથ લઈ લીધા છે.. તેમની તાજપોશી પણ થઈ ગઈ છે. દુનિયાભરના લોકો કિંગના શપથ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. આર્કબિશપે તમામ ધાર્મિક વિધિઓ પછી કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાને તાજ પહેરાવ્યો હતો. ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. મહેમાનોની વાત કરીએ તો અમેરિકાના ફર્સ્ટ લેડી, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં રાજાની તાજપોશીમાં આવ્યા હતા. આ સમારોહનો ખર્ચ યુનાઈટેડ કિંગડમ સરકાર ઉઠાવતી હોય છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.