'આ લોકશાહીની હત્યા છે...', ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI


  • Published By :
  • Published Date : 2024-02-05 18:04:17

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસે પ્રિસાઈડિંગ ઓફિસનો વીડિયો જોયો હતો જેમાં તે મતોને કથિત રીતે રદ્દ કરતા જોવા મળે છે. સીજેઆઈએ કહ્યું કે આ લોકતંત્રની મજાક છે. આજની સુનાવણી બાદ સીજેઆઈ આગામી 12 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી હાથ ધરશે. 


સુપ્રીમે આપ્યો સ્ટે


સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા કોર્ટે રજીસ્ટ્રારની પાસે સાંજે 5 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તમામ વિડીયો પ્રૂફ જમા કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીના રોજ થનારી પહેલી બેઠક અનિશ્ચિત સમય સુધી મોકુફ રાખવાનો હુકમ કર્યો છે. મતલબ કે નગર નિગમના નવા મેયરના કામકાજ પર હાલ સ્ટે રહેશે.  


પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો


એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી હતી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રિસાઈડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે, તે પણ જોવા મળે છે.


RO અનિલ મસીહ પર તવાઈ


સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની AAP-કોંગ્રેસ ગઠબંધનના 8 મત રદ કરવાની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે એવું લાગે છે કે RO (રિટર્નિંગ ઓફિસર) એ મતો સાથે ચેડા કર્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. આરઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. તે જે કરી રહ્યો છે તેનાથી અમે આશ્ચર્યચકિત છીએ. શું આરઓ દ્વારા આ રીતે ચૂંટણી કરાવવામાં આવે છે? અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ માણસને જેવો જ નીચે ક્રોસ જોવા મળે તે કે તરત જ બેલેટ પેપરને વિકૃત કરે છે. CJIએ કહ્યું કે તમારા આરઓને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ દેશમાં એકમાત્ર મહાન સ્થિર શક્તિ લોકશાહીની પવિત્રતા છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.