USA આ રીતે બદલાઈ રહ્યું છે। ત્યાં ઘુસતા પહેલા હવે 100 વાર વિચાર કરજો। વિડિયો જુઓ


  • Published By :
  • Published Date : 2025-02-19 18:29:34

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. જેમાં થોડા થોડા દિવસનાં અંતરે જ ત્રણ વિમાન ભરીને ભારતના પણ અનેક લોકોને પાછા મોકલ્યા છે. અમેરિકા તેની જગ્યાએ સાચુ છે ગેરકાયદેસર રીતે કોઈ પોતાના દેશમાં વસે અને તેના કારણે પોતાના દેશનાં નાગરિકોની રોજગારી છીનવાતી હોય તેમજ બીજી પણ ઘણી બધી સમસ્યાઓ વધતી હોય તો આવામાં અમેરિકા દ્વારા લેવાયેલો નિર્ણય તેમની દ્રષ્ટિએ સાચો છે.

પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. જે રીતે ભારતીયોને પાછા મોકલાઈ રહ્યા છે એ વ્યવહાર કેટલી હદે યોગ્ય છે? એકતરફ અમેરિકા ભારતને પોતાનુ મિત્ર બતાવી રહ્યુ છે અને બીજી તરફ એ જ અમેરિકા ભારતીય નાગરિકોને સામાન્ય અને સરળ રીતે પાછા નહીં મોકલીને તેઓને અડધૂત કરીને હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલે છે. આનાથી પણ વધારે પંજાબના પરત ફરેલા નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને અને કેટલો ખરાબ વ્યવહાર કરીને  તેમને પાછા મોકલયા છે. ભારતના જે શીખ નાગરિકો છે જેમના માટે તેમનાં માથા પરની પાઘડી એ પોતાના આત્મ સમ્માનનું પ્રતિક છે એ પાઘડી અમેરિકા દ્વારા ઉતરાવવામાં આવે છે

ટ્રમ્પ દ્વારા કહેવાઈ રહ્યુ છે કે, ભારત સાથેના તેમના સંબંધો હવે વધુ ગાઢ થઈ રહ્યા છે. તો મિત્ર દેશનાં નાગરિકો સાથે આટલો ખરાબ વ્યવહાર શા માટે? 

અન્ય દેશોની સરખામણીએ ભારતનાં નાગરિકો સાથે થોડુ નરમ વલણ અપનાવીને સીધી સરળ રીતે જો ભારત પાછા મોકલ્યા હોત તો એમની ગાઢ મિત્રતા વાાળો શબ્દ સાર્થક સાબિત થાત.







સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.