TET-TAT ઉમેદવારોએ આ રીતે આગળ વધાર્યું આંદોલન! જ્ઞાન સહાયક પ્રોજેકટના વિરોધમાં હવે યુવાનોએ આમને કરી રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 15:31:18

ગુજરાતના ભાવિ શિક્ષકોને ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક યોજનાથી વાંધો છે. તેમણે આ મામલે અનેકવાર ગાંધીનગરમાં વિરોધ પણ કર્યો છે, ધરણા પણ કર્યા છે, મંત્રીઓને પણ મળ્યા છે, શિક્ષણ સચિવને પણ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવજી, હનુમાનજીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે પણ કંઈ થયું નથી. સરકાર પણ પોતાની યોજના પર મક્કમ છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના વિરોધ સાથે મક્કમ છે. 

સંતોને ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે રજૂઆત

નેતાઓ, મંત્રીઓ, સરકારી બાબુઓ, વિપક્ષ બધા પાસે રજૂઆત બાદ પણ કંઈ વળ્યું નહીં તો હવે વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા છે. વિદ્યાર્થીઓ એ સંતો પાસે જઈને રજૂઆત કરી છે જે સંતોએ હમણા થોડા સમય પહેલા વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત આખું એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું હતું. 



સાધુ-સંતોના શરણે ટેટ-ટાટના ઉમેદવાર 

ગુજરાત સરકારની કરાર આધારિત યોજના એટલે કે જ્ઞાન સહાયક યોજના સામે ભાવિ શિક્ષકોને વાંધો છે જેના કારણે તે વિરોધ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે, પોતાના હેતુને સિદ્ધ કરવા સાધુ સંતોના શરણે ગયા છે. ભાવિ શિક્ષકોએ બનાસકાંઠાના કાંકરેજના વાળીનાથ મહાદેવના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપૂરી બાપુ સાથે મુલાકાત કરી હતી. 



જાનકીદાસ બાપુએ સરકારને આપ્યું અલ્ટિમેટમ 

શિક્ષકોએ બાપુ પાસે રજૂઆત કરી હતી કે સંતોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરાવો અને જ્ઞાન સહાયક રદ કરાવો. ત્યાર બાદ જ્ઞાન સહાયકના વિરોધમાં ઢીમાના મહંત શ્રી જાનકીદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી જ્યાં બાપુને અને ધરણીધર ભગવાનને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ જાનકીદાસ બાપુએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. 



જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી ઉઠી માગ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓ વતી સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુની મુલાકાત કરી હતી. ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત કરી યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક ભરતી રદ કરવા વિદ્યાર્થીઓ વતી માગ રાખી હતી. યુવરાજસિંહ જાડેજાએ બાપુ સામે માગ રાખી હતી કે વિદ્યાર્થીઓની વેદના તે સરકાર સુધી પહોંચાડે જેથી જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે. 



સાધુ-સંતોનો ટેકો ઉમેદવારોને મળશે કે નહીં?

બનાસકાંઠાના સૂઈગામના ભાવિ શિક્ષકોએ કટાવના મહંતને જ્ઞાન સહાયક રદ કરવા રજૂઆત કરી હતી. વિદ્યાાર્થીઓ પાસેથી મુદ્દો સમજ્યા બાદ અને ચર્ચા બાદ કટાવ મહંતે તેમની વાત સરકાર સુધી પહોંચાડવા બાહેંધરી આપી હતી. શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવ, વિપક્ષ અને હવે શિક્ષકો સાધુ સંતોને શરણે ગયા છે તો તેના અવાજના પડઘાને ટેકો મળશે કે નહીં એ જોવાનું રહેશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!