ભારતનો આ પરિવાર ન માત્ર પોતાની સંપત્તિથી પરંતુ સંસ્કારથી પણ જાણીતું છે, આ અબજ્જોપતિ દંપત્તિએ Tirupati Balaji મંદિરમાં કર્યું કરોડોનું દાન


  • Published By :
  • Published Date : 2023-08-05 13:08:37

જ્યારે ભારતનું નામ પડે એટલે તેની સંસ્કૃતિ, રીતિ રિવાજ, સંસ્કાર વગેરે બધુ નજરોની સામે પડે. વિદેશમાં આ જ રીતે આપણા ભારતને ઓળખવામાં આવે છે. તમામ ધર્મના લોકો અને સમાજ અહીં એક સાથે શાંતિ અને પ્રેમથી રહેતા આવ્યા છે. અનેક વાવાઝોડા પછી પણ ભારતે તેનું શાંતિ, રીતિ-રિવાજ અને સંસ્કારોનું મૂળ તત્વ નથી છોડ્યું. નાનામાં નાના માણસથી મોટામાં મોટા વ્યક્તિ સુધી સૌ પોતાની અંદર ભારતના એ સંસ્કાર ક્યાંક ખુણામાં સાચવીને બેઠું છે. આજે એવી જ એક વાત આ વીડિયોમાં કરવી છે. વાત કરવી છે એક પરિવારની જે પોતાની સંપત્તિ જ નહીં પણ સંસ્કાર, રીતિ રિવાજ અને વ્યવહારથી ઓળખાય છે. 


તિરૂપતિ દેવસ્થાનમાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ કર્યા દર્શન   

થોડા સમય પહેલા દેશની સુપ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની શરૂઆત કરનાર ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ પહોંચ્યા હતા. અહીં તેમણે સોનાનો શંખ અને સુવર્ણ કાચબાની મૂર્તિ દાનમાં આપી હતી. બંને લોકો ધાર્મિક છે અને દક્ષિણ ભારતના રીત રિવાજથી સજ્જ છે. આ ખુબીના કારણે સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ દાનમાં આપેલ શંખ અને કાચબાની મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય EO ધર્મ રેડ્ડીને સોંપી. 

Image

નારાયણ મૂર્તિ ભગવદ્ ગીતાથી છે ખૂબ પ્રભાવિત 

આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમમાં ગયા હતા. આપણે જાણીએ જ છીએ કે હમણા થોડા સમય પહેલા નારાયણ મૂર્તિએ જાહેરમાં વાત કરી હતી કે તેઓ ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત છે. અબજોપતિએ ભારતીય મહાકાવ્ય મહાભારતના તેના પ્રિય પાત્ર વિશે પણ વાત કરી હતી. ભૂતકાળમાં એક કાર્યક્રમમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, “મહાભારતમાં જે પાત્ર મને સૌથી વધુ પ્રેરિત કરે છે તે કર્ણ છે અને તે તેની ઉદારતાને કારણે છે. આ રીતે હું મોટો થયો છું."


1.50 કરોડ રૂપિયાનું દંપત્તિએ કર્યું દાન 

મૂર્તિ દંપતીએ મંદિરમાં દાન કરવામાં આવેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિ ખૂબ જ ખાસ છે. આ બંનેને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના અભિષેકમાં થાય છે. દક્ષિણ ભારતના આ દાનને 'ભૂરી' દાન પણ કહેવાય છે. જ્યારે દાન કરવામાં આવ્યું હતું ત્યારે બજારમાં સોનાની સરેરાશ કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. મૂર્તિ દંપતિએ દાનમાં આપેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિનું વજન લગભગ 2 કિલો છે. આ કિસ્સામાં, તેમની કિંમત લગભગ 1.50 કરોડ રૂપિયા છે.


અનેક મોટી હસ્તીઓ તિરૂપતિ બાલાજી મંદિરના કરતા હોય છે દર્શન 

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિર પ્રાચીન સમયથી દાન મેળવતું આવ્યું છે. મોટા મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિરમાં પહોંચતા રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે તેવી લોકોની શ્રદ્ધા અને માન્યતા છે..



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!