અમદાવાદના રિવરફ્રન્ટમાં કરાયો આ સુવિધાનો વધારો, જાણો ક્યાંથી શરૂ કરાઈ સુવિધા અને મજા માણવા કેટલો ચૂકવવા પડશે પૈસા


  • Published By :
  • Published Date : 2023-04-01 15:41:15

અમદાવાદમાં અનેક ફરવા લાયક સ્થળો છે. સરકાર ટુરિઝમ  પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ  કરે છે. અમદાવાદમાં આવેલું રિવરફ્રન્ટ ટ્યુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. રિવરફ્રન્ટના વિકાસ પાછળ સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. અનેક સુવિધાઓ રિવરફ્રન્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. ત્યારે કાયાકિંગની સુવિધા લોકો માટે ચાલુ કરવામાં આવી છે. અડધાથી પોણા કલાક સુધી લોકો આ કાયાકિંગની મજા માણી શકશે પરંતુ તેના માટે 600 રુપિયા ચૂકવવા પડશે.  


અમદાવાદીઓ માણી શકશે કાયાકિંગની મજા 

રિવરફ્રન્ટ ખાતે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક ફેસિલિટી લોકો માટે વધારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ફેસિલિટીનો ઉમેરો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઈ ગઈ છે. લોકો પોતે કાયાકિંગ ચલાવી શકશે. અત્યારસુધીમાં આ સુવિધા વડોદરાના આમરોલમાં હતી પરંતુ હવેથી આ સુવિધા અમદાવાદના રિવરફ્રન્ટમાં જોવા મળશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ જગ્યાએથી શરૂ થશે રાઈડિંગ 

સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ સુધી કાયાકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. કોઈ અણબનાવ ન બને તે માટે કાયાકિંગની શરૂઆત પહેલા લોકોને જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઈફગાર્ડ આપવામાં આવશે. પરંતુ સમય પ્રમાણે કાયાકિંગના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


જો તમે સાંજના સમયે જશો તો ઉઘરાવાશે ડબલ ભાડું!  

જો તમે કાયારિંગની મજા બપોરે માણવા જશો તો તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ જો તમે સાંજના સમયે જશો તો 600 રુપિયા વસૂલવામાં આવશે. નિયમોની વાત કરીએ તો સવારના 6થી સાંજના 7 વાગ્યા સુધી રાઈડની મજા માણી શકાશે. 50 મિનિટ સુધી રાઈડની મજા માણી શકશો. સવારે 10થી 1 અને 3થી 4 વાગ્યા સુધી 300 રૂપિયા વસૂલવામાં આવશે અને જો તમે સાંજના સમયે જશો એટલે કે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન કાયાકિંગની મજા માણવા જશો તો તમારે 600 રુપિયા ચૂકવવા પડશે. 


લોકો 50 મિનિટ માટે ચૂકવશે 600 રુપિયા?

ત્યારે પ્રશ્નએ છે કે માત્ર 50 મિનિટની સફર માટે 600 રુપિયા કોણ આપે. ત્યારે જોવાનું એ છે કે આ કાયાકિંગને સારો રિસ્પોન્સ મળે છે કે પછી લોકો આને લૂંટવાનો ધંધો માનીને આ સુવિધાથી અળગા રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહ્યું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.