MahipalSinh Valaની શહાદત પેઢી સુધી યાદ રહે તે માટે લેવાયો આ નિર્ણય, આ શાળાને અપાયું મહિપાલસિંહનું નામ


  • Published By :
  • Published Date : 2023-08-15 13:28:35

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે આપણે વીર શદીહોને યાદ કરતા હોઈએ છીએ. અનેક વીર શહીદો એવા હોય છે જેમના શહીદીના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા નથી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે બોર્ડર પર લડતા લડતા ગુજરાતના મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. અમદાવાદમાં તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે મહિપાલસિંહની શહીદી લોકોને યાદ રહે તે માટે લીલાનગર પ્રાથમિક શાળાનું નામ બદલી તે શાળાને મહિપાલસિંહ નામ આપવામાં આવ્યું છે. 

શહીદ મહિપાલસિંહ અમર રહો, અંતિમ સફરે વીર જવાન, CM ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ  પાઠવવા અમદાવાદ પહોંચ્યા | cm pays tribute to jawan mahipal sinh vala who  was martyred in jammu ...

સરહદ પર વીર જવાનો તૈનાત છે એટલે આપણે ઘરમાં સુરક્ષિત છીએ

સરહદ પર અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. રાષ્ટ્ર તહેવારના દિવસે આપણે એ વીર જવાનોને યાદ કરતા હોઈએ છીએ. ઘણા વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું જે આજે પણ આપણા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પર મત ભૂલો સીમા પર, વીરોં ને હૈ પ્રાણ ગઁવાએ, કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ન આએ.... કોઈ સિખ કોઈ જાટ મરાઠા, કોઈ ગુરખા કોઈ મદરાસી, સરહદ પે મરને વાલા, હર વીર થા ભારતવાસી....


મહિપાલસિંહના નામ પર રખાયું પ્રાથમિક શાળાનું નામ   

સરહદ પર આપણા વીર હાજર છે, તેના કારણે જ આપણે પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ત્યારે ગુજરાતથી સેનામાં ગેયલા મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા હતા. અશ્રુભીની આંખે લોકોએ અને તેમના પરિવારના સભ્યોને તેમને અંતિમવિદાય આપી હતી. શહીદ થયે થોડા દિવસો બાદ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો જેને વિરલબા નામ આપવામાં આવ્યું. લોકોએ કહ્યું વીરના ઘરે વિરાંગના જ જન્મ લે. મહિપાલસિંહની શહીદીની વાત અનેક પેઢીઓ સુધી યાદ રહે તે માટે પ્રાથમિક શાળાના નામને બદલવામાં આવ્યું છે. 



રાષ્ટ્રીય પર્વ સિવાય આપણે નથી યાદ કરતા વીર શહીદોને!

લીલાનગર પ્રાથમિક શાળાને મહિપાલસિંહ વાળાનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ , વીર શહીદોના પરિવારને સન્માન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ત્યાં લીલાનગર પ્રાથમિક શાળાનું નામ પણ શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આપણે વીર જવાનોને, તેમના બલિદાનોને આવા રાષ્ટ્રીય પર્વ પર જ યાદ કરીએ છીએ. પરંતુ અન્ય દિવસો દરમિયાન આપણે વીર શહીદોને યાદ નથી કરતા.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!