ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ બદલાયા બાદ સંગઠનમાં થશે આ ફેરફાર! દિલ્હીમાં થઈ હતી મિટીંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 13:49:38

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને બદલી દીધા છે. પહેલા જે જવાબદારી જગદીશ ઠાકોર સંભાળતા હતા હવે તે જવાબદારી શક્તિ સિંહ ગોહિલ સંભાળશે. સત્તાવાર રીતે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ નિયુક્તિ કરી શકે છે. રઘુ શર્મા આ જવાબદારી નિભાવતા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું.       


રઘુ શર્માએ આપી દીધું હતું રાજીનામું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. 182માંથી કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો જ આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડ દ્વારા નવા ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જગદીશ ઠાકોર જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હવે શક્તિસિંહ ગોહિલ સંભાળવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ સાથે ગુજરાતના કોંગ્રેસના 18 જેટલા નેતાઓએ બેઠક કરી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ રઘુ શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 



આ નેતાઓ બેઠકમાં રહ્યા હતા હાજર          

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કમલમની જેમ સમગ્ર ગુજરાતમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે.દિલ્હી ખાતે ગુજરાતના નેતાઓએ બેઠક કરી હતી. રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો નિર્ણય બેઠકમાં લેવાયેલો છે. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર હતા.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!