મણિપુર હિંસાને લઈ ભાજપના આ નેતા થયા નારાજ! પીએમ મોદીએ કાર્યવાહી ના કરી એટલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-28 10:06:52

મણિપુરમાં અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા સતત મણિપુરને લઈ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ દ્વારા એટલે કે મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ તો જાણે આ મામલે ન બોલવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મામલે તો અન્ય કોઈ પણ કેન્દ્રીય મંત્રી બોલવા નથી માગતા. સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે દ્રશ્યો તો આપણે જોયા છે. એવો હોબાળો થાય કે કાર્યવાહી જ સ્થગિત કરવી પડે છે. વાત સંસદની નહી પરંતુ બિહારના એક ભાજપના નેતાની કરવી છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. 

જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો સંસદમાં ઉઠે છે ત્યારે થાય છે હોબાળો 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસા ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. અનેક વખત એકાએક હિંસા ત્યાં ફાટી નીકળતી હોય છે. અનેક લોકોએ પોતાના જીવને ગુમાવ્યા છે જ્યારે લોકોએ પોતાનું સ્વર્સ્વ ગુમાવી દીધું છે. મણિપુરમાં ફાટી નિકળેલી હિંસાની નોંધ વિદેશી મીડિયાએ લીધી છે પરંતુ કેન્દ્ર સરકારને જાણે મણિપુરમાં થતી હિંસા દેખાતી જ નથી એવું લાગે છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરને લઈ ચર્ચાઓ ઉઠે છે ત્યારે હોબાળો થાય છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ સંસદમાં નિવેદન આપ્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ આ મામલે ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત માનવામાં આવે? શું હજી સુધી કાર્યવાહી કરવા માટે ચોમાસા સત્રની રાહ જોવાઈ રહી હતી? આટલા મહિનાઓ સુધી પીએમને તેમજ અનેક મંત્રીઓને મણિપુરમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ધ્યાન જ ન હતું? 

બિહારના ભાજપના નેતાએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું  

પીએમ મોદીને મળવા અનેક વખત મણિપુરના સાંસદોએ સમય માગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બધા વચ્ચે મણિપુરની હિંસાને જોતા અને કેન્દ્ર સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારમાં ભાજપના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને કલંકિત લાગે છે. જે.પી. નડ્ડાને રાજીનામું સોંપતા તેમણે લખ્યું કે "I have resigned from BJP with a heavy heart. Manipur situation has defamed India," મીડિયા સમક્ષ વાત કરતા વિનોદ શર્માએ કહ્યું કે જો પીએમ મોદીમાં થોડી પણ માનવતા છે તો તે તરત મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું લઈ શકે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.