મણિપુર હિંસાને લઈ ભાજપના આ નેતા થયા નારાજ! પીએમ મોદીએ કાર્યવાહી ના કરી એટલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-28 10:06:52

મણિપુરમાં અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા સતત મણિપુરને લઈ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ દ્વારા એટલે કે મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ તો જાણે આ મામલે ન બોલવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મામલે તો અન્ય કોઈ પણ કેન્દ્રીય મંત્રી બોલવા નથી માગતા. સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે દ્રશ્યો તો આપણે જોયા છે. એવો હોબાળો થાય કે કાર્યવાહી જ સ્થગિત કરવી પડે છે. વાત સંસદની નહી પરંતુ બિહારના એક ભાજપના નેતાની કરવી છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. 

જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો સંસદમાં ઉઠે છે ત્યારે થાય છે હોબાળો 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસા ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. અનેક વખત એકાએક હિંસા ત્યાં ફાટી નીકળતી હોય છે. અનેક લોકોએ પોતાના જીવને ગુમાવ્યા છે જ્યારે લોકોએ પોતાનું સ્વર્સ્વ ગુમાવી દીધું છે. મણિપુરમાં ફાટી નિકળેલી હિંસાની નોંધ વિદેશી મીડિયાએ લીધી છે પરંતુ કેન્દ્ર સરકારને જાણે મણિપુરમાં થતી હિંસા દેખાતી જ નથી એવું લાગે છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરને લઈ ચર્ચાઓ ઉઠે છે ત્યારે હોબાળો થાય છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ સંસદમાં નિવેદન આપ્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ આ મામલે ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત માનવામાં આવે? શું હજી સુધી કાર્યવાહી કરવા માટે ચોમાસા સત્રની રાહ જોવાઈ રહી હતી? આટલા મહિનાઓ સુધી પીએમને તેમજ અનેક મંત્રીઓને મણિપુરમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ધ્યાન જ ન હતું? 

બિહારના ભાજપના નેતાએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું  

પીએમ મોદીને મળવા અનેક વખત મણિપુરના સાંસદોએ સમય માગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બધા વચ્ચે મણિપુરની હિંસાને જોતા અને કેન્દ્ર સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારમાં ભાજપના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને કલંકિત લાગે છે. જે.પી. નડ્ડાને રાજીનામું સોંપતા તેમણે લખ્યું કે "I have resigned from BJP with a heavy heart. Manipur situation has defamed India," મીડિયા સમક્ષ વાત કરતા વિનોદ શર્માએ કહ્યું કે જો પીએમ મોદીમાં થોડી પણ માનવતા છે તો તે તરત મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું લઈ શકે છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!