તારક મહેતા શોના આ કલાકારે કહ્યું દુનિયાને અલવિદા, ચાહકોમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-01-14 13:25:52

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દર્શકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શોના સેટ પરથી ખરાબ સમાચાર આવ્યા છે. સિરિયલમાં તેમજ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં તેમજ પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.


અનેક કલાકારોએ શોને કહ્યો છે અલવિદા  

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સૌથી લાંબો શો તારક મહેતાને માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી ટીવી જગતમાં તે રાજ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો શોને છોડી રહ્યા છે. દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિતના કલાકારોએ શોને અલવિદા કહી દીધો છે. અનેક કલાકારો રિપ્લેશ થઈ ગયા છે. 


13 જાન્યુઆરીએ લીધા હતા અંતિમ શ્વાસ

ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવનાર સુનીલ હોલકરનું 40 વર્ષે નિધન થયું છે. તેમના વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને લીવર સોરાયસીસ હતા. અચાનક તબિયત બગડી હતી અને 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. 


અનેક સિરિયલમાં કર્યું છે કામ 

સુનિલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગોશ્ત એક પૈઠાનીમાં અભિનય કર્યો હતો. તે સિવાય નાટકો, ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં મનોરંજન કરતા નજરે પડ્યા હતા.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે