સરકારી નોકરી માટે તરસતા યુવાનોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું કર્યું અનોખું અભિયાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-31 19:48:10

રાજ્યના બેરોજગાર યુવાનો માટે સરકારની નોકરી એ જાણે જીવનનું અંતિમ ધ્યેય બની ગયું છે. ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનીફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું તેની જાહેરાત કરતી સરકાર ખરેખર તો ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતી નથી. આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આજે જ PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચામાં છે. સરકારી નોકરી માટે તરસતા બેરોજગાર યુવાનો એ સોશિયલ મીડિયા પર #Guj_ govt_declares_Recruitment  ટ્રેન્ડ શરૂ કર્યો છે. 


સરકાર ક્યારે જાગશે?


સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ગુજરાતના બેકાર યુવાનો પ્લેટફોર્મ X પર ગુજરાત સરકારની  વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવા માંગણી કરી રહ્યા છે . આ પ્રકારની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની અને આ ટ્રેન્ડ પર 1 લાખ 7 હજાર કરતા વધુ ટવિટ થઈ ચુકી છે. આ ટ્રેન્ડ પ્લેટફોર્મ X પર ઉમેદવારોની એકતાનું પ્રતીક બની ચૂક્યું છે. રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે જયારે નોકરીની જાહેરાતમાં મોડું થાય, ડમી ઉમેદવાર પકડાય તદુપરાંત કૌભાંડ બહાર આવે ત્યારે પરીક્ષાઓ રદ્દ થતી હોય છે તેથી યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી સરકારે પણ હવે મુદ્દે સક્રિય થવાની જરૂર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.