ઘી લેતા પહેલા વિચારજો, Deesaમાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે-બે ફેક્ટરીઓ પકડાઈ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 17:03:30

નકલીની સીઝન વચ્ચે નકલી ઘી બનાવતી એક નહિ બે બે ફેક્ટરીઓ ઝડપાઇ છે. આ મિલાવટ સામે જમાવટ જરૂરી છે કારણ કે આ મિલાવટીયાઓ અને આ માનવજાતના દુશ્મનો તમને મને અને આપણા પરિવારને રોજ સ્વીટ પોઇઝન પીરસે છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી.


ઘીમાં ભેળસેળ કરવાની બાતમી મળ્યા બાદ કરવામાં આવી તપાસ!   

બિન્દાસ્ત રીતે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો આખી ફેકટરીઓ ખોલીને બેસી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પદમનાથ ફુડ પ્રોડકટસ પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. 

તપાસ કરતા ફેક્ટરીમાંથી મળી આવ્યું વનસ્પતિ ઘી!  

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલી બીજી પેઢી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

મોડી રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા ફૂડ વિભાગ ને જાણ કરાઇ હતી જે બાદ સેમ્પલ લઇ અન્ય મુદ્દામાલ સીઝ કરાયો છે. સેમ્પલનુ રિઝલ્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું ફૂડ વિભાગે જણાવ્યું છે. 


પૈસા કમાવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે કરે છે ચેડા

આ મિલાવટ કરનારાઓ સામે અમે જમાવટ કરતા જ રહીશું પણ તમારે પણ આ મિલાવટીયાઓને ઓળખવા પડશે. કારણ કે આ લોકો રૂપિયા કમાવવાની લાહ્યમાં લોકોના જીવ લેવા બેઠા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.