બેગુસરાય રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ચોરને ચોરી કરવી ભારે પડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:53:27

બિહારના બેગુસરાયમાં એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે .આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.

સમગ્ર ઘટનાનો વિડિઓ હાલ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે 

ટ્રેનના મુસાફરો આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખાગરિયા સુધી લટકેલી હાલતમાં જ રાખ્યો, આ દરમિયાન ટ્રેન દોડતી રહી અને ચોર પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ મુસાફરોએ તેને છોડ્યો નહી. બાદમાં તેને ખાગરિયા સ્ટેશન પર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવકનું નામ પંકજ કુમાર હતુ. તે બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.