દિલ્હીમાં લૂંટના ઈરાદે આવેલા ચોરોએ સામેથી કપલને આપ્યા રુપિયા! જાણો શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 13:25:14

આપણે જ્યારે ચોરોનું નામ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ચોર માત્ર ચોરી કરે. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો તેમને દયાવાન ચોર કહી રહ્યા છે. વાત એવી છે કે ચોર દંપત્તિને લૂંટવા આવ્યા. અનેક વખત તલાશી લીધી પરંતુ તેમની પાસેથી માત્ર 20 રૂપિયા જ મળી આવ્યા. ત્યારે ચોરોએ ચાલવા નીકળેલા દંપત્તિને સામેથી 100 રુપિયા આપ્યા. 100 રુપિયા આપી લૂંટેરાઓ ફરાર થઈ ગયા પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ સુધી આ વાત પહોંચી અને આસપાસના સીસીટીવી ચેક કરી તપાસ આરંભી અને ચોરોને પકડી પાડ્યા છે.         



ચાલવા નીકળેલા દંપત્તિને લૂંટવાનો કરાયો પ્રયાસ 

જો તમને કોઈ કહે કે તમે દયાવાન ચોરોને જોયા છે તો તમે શું કહેશો? જવાબમાં ના જ મળશે. તમને એમ થતું હશે કે ચોર છે તો ચોરી જ કરે ને. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જેમાં જે લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમને જ પૈસા આપી લૂંટેરાઓ જતા રહ્યા. જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના છે 21 જૂન રાતની. એક દંપત્તિ રાતના સમયે ચાલવા નીકળે છે ત્યારે બે બૂંદૂક ધારી ચોરો ચોરીને અંજામ આપવા ત્યાં આવી પહોંચે છે અને તે દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ત્યાં ઉભેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધી. અને સાથે જ આ મામલે પોલીસને જાણકારી આપી. 


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

જાણકારી મળતા જ ફર્શ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દંપત્તિ સાથે વાતચીત કરી. પોલીસને જણાવતી વખતે દંપત્તિએ જણાવ્યું કે બંદૂક બતાવી અમને રોકી અમને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે તલાશી લઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. માત્ર 20 રુપિયા મળતા ફરી એક વખત તલાશી લેવામાં  આવી પરંતુ તો પણ 20 રુપિયા સિવાય કંઈ ન મળ્યું. લૂંટવા માટે કંઈ ન મળ્યું ત્યારે તેઓ 100 રુપિયા આપીને ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.    



દયાવાન ચોરો આવ્યા પોલીસ કસ્ટડીમાં 

ચોરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર તેમજ આસપાસની જગ્યાઓના સીસીટીવી તપાસ્યા. અંદાજીત 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને અંતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.