આ રાજનેતાઓએ પંડિત જવાહરલાલ નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ, પીએમ મોદીએ ટ્વિટ કરી તો રાહુલે ગાંધીએ સમાધિ સ્થળ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-27 12:45:17

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નહેરૂને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ પર હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ!

પીએમ મોદીએ ટ્વિટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેએ જવાહરલાલ નહેરૂના સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજના જ દિવસે 74 વર્ષની આયુમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. સમગ્ર દેશમાં જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ આવી રીતે જવાહરલાલ નહેરૂને યાદ કર્યા!

સમાધિસ્થળ પર જાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ ન થઈ શકે. તે સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે પંડિત જવાહરલાલ નહેરૂની વિરાસત હમેશા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી પંડિત જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.