અદાણીની વ્હારે આવ્યા આ લોકો? જાણો લિસ્ટમાં કોના કોના નામોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-02-01 09:38:09

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અબજો રૂપિયાની ખોટ અદાણી ગ્રુપને થઈ હતી. પરંતુ ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા લાવવામાં આવેલી FPO એટલે કે ફોલો-ઓન-પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Adani Enterprises FPO

FPOને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ 

મળતી માહિતી અનુસાર આમાં સૌથી વધારે રસ એનઆઈઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી એટલે કે 30 જાન્યુઆરી સુધી આ એફપીઓમાં માત્ર 3 ટકા સબ્સક્રાઈબર થયા હતા. રિપોર્ટના આધારે અબુ ધાબીની કંપનીએ 40 કરોડ ડોલર એટલે કે અંદાજીત 3200 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ અંગેની જાણકારી કંપની દ્વારા સોમવારે આપવામાં આવી હતી. તે ઉપરાંત એનઆઈઆઈને 3.13 કરોડ શેરોની બોલી મળી હતી. 


આ લોકો અદાણીને કરી શકે છે મદદ!! 

સૌથી મોટુ યોગદાન અલ્ટ્રા હાઈ નેટ ઈન્ડિવિઝુયલ ફેમિલીનું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીની મદદે અંબાણી ગ્રુપ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા તેમજ પંકજ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે. કર્મચારિયોના જણાવ્યા અનુસાર એમના માટે માર્ક કરવામાં આવેલા શેરમાં 53 ટકા બોલી લગાવામાં આવી હતી. ડેટા પરથી જાણી શકાય છે કે QIBના કૈટેગરીના કુલ શેરમાં 126 ટકા બોલી લગાવી હતી. 


શું હોય છે એફપીઓ?

ફોલો ઓન પબ્લિક ઓફર એક એવી પ્રકિયા છે જેમાં પહેલા પહેલેથી લિસ્ટેડ કંપની પોતાના હાલના નિવેશકો અથવા તો શેરહોલ્ડર માટે નવા શેર બહાર પાડે છે. અદાણી એન્ટરપ્રાઈઝના ફોલો એન પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ કરવામાં આવી લેવાયો હતો.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.