મોદી કેબિનેટમાં Gujaratના આ સાંસદોને મળ્યું સ્થાન, ગુજરાતમાંથી કોને મળ્યું મંત્રીપદ, કોની થઈ બાદબાકી?


  • Published By :
  • Published Date : 2024-06-10 11:35:48

ગઈકાલે વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે.. આ વખતે એનડીએની સરકાર બની રહી છે.. પીએમ મોદી સાથે 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકારની આ વખતની ટીમમાં કોણ કેબિનેટ મંત્રી હશે તે સસ્પેન્સ ગઈકાલે ખૂલી ગયો છે. 72માંથી કોઈ મંત્રીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે તો કોઈને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.. ગુજરાતના 5 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે..

ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યું કેબિનેટમાં સ્થાન 

ગુજરાતમાં 26માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે જ્યારે એક સીટ ઈન્ડિ ગઠબંધનને મળી છે.. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થશે તેવા એંધાણ દેખાતા હતા પરંતુ હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફાર થશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવો ચહેરો આવશે કારણ કે સી.આર.પાટીલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. જ્યારે નિમુબેન બાંભણિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.



આ સાંસદોને કેબિનેટમાં મળ્યું સ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના પનોતા પુત્ર માનવામાં આવે છે. જ્યારે પીએમને જોઈએ છે ત્યારે અનેક લોકોની આંખોમાં ચમક દેખાતી હોય છે. ત્યારે આ વખતે 5 સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. આ લોકોને મંત્રી બનાયા કરતાં વધારે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તાં કપાયાંની ચર્ચા છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, એટલે તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. અને એના સિવાય બીજા ચાર આ વખતે લોકસભાની ચૂંટણી જીતીને મંત્રી બન્યા છે.




ચાર ટર્મથી નવસારી બેઠકથી જીતી રહ્યા છે સી.આર.પાટીલ 

અમિત શાહની વાત કરીએ તો અમિત શાહે 1980માં 16 વર્ષની ઉંમરે માણસામાં 'તરુણ સ્વયંસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. આમ, તેમની 16 વર્ષની ઉંમરથી શરૂ થયેલી સફર 40 વર્ષ સુધી પહોંચી છે. સી આર પાટિલની વાત કરીએ તો  1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. આ ભાજપનો ઉદય થવાની શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસીના ચેરમેન બન્યા. 4 ટર્મથી ભાજપના સી.આર.પાટીલ નવસારીથી જીતી રહ્યા છે. 2019માં સૌથી વધારે લીડથી જીતીને તેમણે દેશનું ધ્યાન ખેચ્યું હતું. સી.આર.પાટીલ ભાજપ માટે ઇલેક્શનના સ્ટ્રેટેજી મેકર છે અને હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શોધવા પડશે.. 


પોરબંદરથી ચૂંટણી લડ્યા હતા મનસુખ માંડવિયા

તે સિવાય મનસુખ માંડવિયાની વાત કરીએ તો તે 2012થી રાજ્યસભાના સાંસદ હતા. આ વખતે તેમને લોકસભા ચૂંટણી લડાવી. પોરબંદર બેઠકથી તેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેમની સામે ઈન્ડિ ગઠબંધનના લલિત વસોયા હતા.. ચૂંટણીમાં મનસુખ માંડવિયાની જીત થઈ અને ગઈકાલે તેમણે કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ લીધા છે.. તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની પણ જવાબદારી નિભાવી છે. 



રાજ્ય મંત્રી બન્યા નિમુબેન બાંભણિયા

અને એક મહિલા નેતા નિમુબેન, જે આ વખતે પહેલી વાર સાંસદ બન્યા અને રાજ્ય મંત્રી બન્યા.. એમની વાત કરીએ તો કોળી સમાજમાંથી આવતાં નિમુબેન બાંભણિયા 2005થી 2020 સુધી સતત ત્રણ ટર્મ ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે. બે વખત મેયર પણ રહી ચૂક્યાં છે. શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપ-પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. હવે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.