TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા આ ધારાસભ્યો, કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને કરી રજૂઆત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 09:45:57

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેટ-ટાટ ઉમેદવારો થોડા સમય પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે જગ્યા પર તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. 

ઉમેદવારોના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો

ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવી કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરતી ટ્વિટ કરી છે. ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને વિનંતી કરી છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. તેમણે લખ્યું કે જો શિક્ષકોનું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટનું નિર્માણ કઈ રીતના કરશે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.