“બેરોજગારીના આ આંકડા ચિંતાજનક” Jairam Rameshના સરકાર પર પ્રહાર, જાણો દેશમાં કેટલા ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે?


  • Published By :
  • Published Date : 2023-09-29 15:08:09

બેરોજગારી... બેરોજગારી.... બેરોજગારી.... આજના યુવાનો સૌથી વધારે આ વિષય પર બોલતા સંભળાય છે. ભણવાનું પતી ગયું હોય પરંતુ યુવાનો પાસે જોબ નથી હોતી. ડિગ્રી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરી શકે તે માટે નોકરી નથી હોતી. બેરોજગારી ભારતનો સૌથી મોટો પ્રશ્ન  છે. આજે ચર્ચા પણ આ મુદ્દે કરવી છે કારણ કે આ મુદ્દો અતિ આવશ્યક છે. કારણ કે બેરોજગારીએ દેશની પેઢીના નિર્માણ માટોનો મુદ્દો છે. . જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકાનો ઘટાડો!

સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ એ થશે કે આ ખૂબ ગંભીર છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના 42 ટકા ગ્રેજન્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8 હજાર ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની 92 જગ્યા માટે આવેદન કર્યું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં એમએસસી અને એમટેકવાળા પણ લોકો શામેલ છે. 



પીએમ મોદી પર જયરામ રમેશના આક્ષેપ

જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લાર્કના 4 હજાર 600 પદો માટે 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને આમાં ફોર્મ ભરવાવાળા એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર પણ શામેલ છે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં અપાવવોએ નરેન્દ્ર મોદી સરકારની ઘોર નિષ્ફળતા છે. ઈપીએફઓના 2021-22ના આંકડાઓથી ખબર પડી કે જે લોકો રોજનું કમાવીને રોજનું ખાય છે તેમાં 2019-20ના આંકડા મુજબ હાલ 5.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. 



મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં આવ્યો 30 ટકાનો ઘટાડો

આ તો ઈપીએફઓના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમાના આંકડાની વાત કરીએ. તેના મુજબ 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યિફિક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળી રહ્યો. ટુંકમાં બહુ આંકડામાં ન પડતા સમજીએ તો બેરોજગારી વધી છે. 


સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે! 

જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજનાઓ લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે અને રજૂ કરે છે. પણ ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે ટાંકેલા આંકડાઓ મુજબ દેશના 33 ટકા યુવાઓ પાસે ન તો નોકરી છે ન તો શૈક્ષણિક પાઠ્યક્રમ લઈ રહ્યા છે. 




બેરોજગારીએ દેશનો સૌથી મોટો પ્રશ્ન! 

મહત્વનું છે કે બેરોજગારી એક ગંભીર વિષય બની ગયો છે. સારી નોકરી મળે તે માટે વિદ્યાર્થીઓ ભણવા પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ ડિગ્રી પછી પણ તેમને નોકરી નથી મળતી તે ચિંતાનો વિષય છે. આપણા ધ્યાનમાં પણ એવા અનેક લોકો આવ્યા હશે, આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે નોકરીની શોધમાં હશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!