“બેરોજગારીના આ આંકડા ચિંતાજનક” Jairam Rameshના સરકાર પર પ્રહાર, જાણો દેશમાં કેટલા ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે?


  • Published By :
  • Published Date : 2023-09-29 15:08:09

બેરોજગારી... બેરોજગારી.... બેરોજગારી.... આજના યુવાનો સૌથી વધારે આ વિષય પર બોલતા સંભળાય છે. ભણવાનું પતી ગયું હોય પરંતુ યુવાનો પાસે જોબ નથી હોતી. ડિગ્રી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરી શકે તે માટે નોકરી નથી હોતી. બેરોજગારી ભારતનો સૌથી મોટો પ્રશ્ન  છે. આજે ચર્ચા પણ આ મુદ્દે કરવી છે કારણ કે આ મુદ્દો અતિ આવશ્યક છે. કારણ કે બેરોજગારીએ દેશની પેઢીના નિર્માણ માટોનો મુદ્દો છે. . જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકાનો ઘટાડો!

સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ એ થશે કે આ ખૂબ ગંભીર છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના 42 ટકા ગ્રેજન્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8 હજાર ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની 92 જગ્યા માટે આવેદન કર્યું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં એમએસસી અને એમટેકવાળા પણ લોકો શામેલ છે. 



પીએમ મોદી પર જયરામ રમેશના આક્ષેપ

જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લાર્કના 4 હજાર 600 પદો માટે 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને આમાં ફોર્મ ભરવાવાળા એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર પણ શામેલ છે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં અપાવવોએ નરેન્દ્ર મોદી સરકારની ઘોર નિષ્ફળતા છે. ઈપીએફઓના 2021-22ના આંકડાઓથી ખબર પડી કે જે લોકો રોજનું કમાવીને રોજનું ખાય છે તેમાં 2019-20ના આંકડા મુજબ હાલ 5.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. 



મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં આવ્યો 30 ટકાનો ઘટાડો

આ તો ઈપીએફઓના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમાના આંકડાની વાત કરીએ. તેના મુજબ 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યિફિક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળી રહ્યો. ટુંકમાં બહુ આંકડામાં ન પડતા સમજીએ તો બેરોજગારી વધી છે. 


સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે! 

જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજનાઓ લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે અને રજૂ કરે છે. પણ ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે ટાંકેલા આંકડાઓ મુજબ દેશના 33 ટકા યુવાઓ પાસે ન તો નોકરી છે ન તો શૈક્ષણિક પાઠ્યક્રમ લઈ રહ્યા છે. 




બેરોજગારીએ દેશનો સૌથી મોટો પ્રશ્ન! 

મહત્વનું છે કે બેરોજગારી એક ગંભીર વિષય બની ગયો છે. સારી નોકરી મળે તે માટે વિદ્યાર્થીઓ ભણવા પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ ડિગ્રી પછી પણ તેમને નોકરી નથી મળતી તે ચિંતાનો વિષય છે. આપણા ધ્યાનમાં પણ એવા અનેક લોકો આવ્યા હશે, આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે નોકરીની શોધમાં હશે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે