ગુજરાતના આ મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, વાવાઝોડાની ગંભીરતાને લઈ લેવાયો નિર્ણય, વાંચો લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-15 09:11:26

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે. આગામી કલાકો ગુજરાત માટે ભારે છે એવું માનવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો કોઈ જગ્યા પર ઓછો વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે પવન ફૂંકાય છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 જૂનના રોજ જગત મંદિર દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તે બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને લઈને પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારે એટલે કે આજે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ વાવાઝોડાને લઈ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  

અનેક સેવાઓ વાવાઝોડાને કારણે કરાઈ છે બંધ!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ સતત તેજગતિથી આગળ વધી રહ્યું છે. દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર વાવાઝોડાની અસર સૌથી વધારે થવાની છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવની કામગીરીને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે. એસટી બસોને રદ કરવામાં આવી છે તેમજ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.


આ મંદિરોના દ્વાર ભક્તો માટે રહેશે બંધ!

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી પ્રથમ જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ગુરૂવારે આ મંદિરોના દ્વાર ભક્તો માટે વાવાઝોડાને પગલે બંધ રહેશે. તે સિવાય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 15 જૂન બપોરથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવનની આશંકાને લઈ મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સિવાય સાળંગપુર તેમજ ખોડલધામ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.