ફરી એક વખત આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ગરમી પડશે તો હવામાન નિષ્ણાતોએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-03-08 16:40:43

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે શિયાળાના અંતમાં પણ માવઠું આવ્યું હતું. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ લોકોને હેરાન કર્યા હતા અને શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેણે ખેડૂતોના બેહાલ કર્યા હતા. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે આવનાર દિવસોમાં માવઠું આવી શકે છે.   


હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મત અલગ અલગ!

આપણે ઠંડીની સિઝનમાંથી ગરમીની સિઝન તરફ આગળ વધી રહ્યા છીએ. હમાણાં જે સમય ચાલી રહ્યો છે તે બેવડી ઋતુવાળો છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આવનાર દિવસમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું કે કમોસમી વરસાદ આવનાર સમયમાં આવી શકે છે ઉપરાંત એવી પણ આગાહી કરી કે રાજ્યના અનેક ભાગોમાં કરા પણ પડી શકે છે.    



આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો! 

થોડા દિવસો પહેલા તાપમાનમાં એટલો વધારો થઈ ગયો હતો કે શિયાળામાં પણ બપોરના સમયે પંખો ચલાવવો પડતો હતો. તેને જોઈ લોકોને થઈ રહ્યું હતું કે હમણાં જો આ પરિસ્થિતિ છે તો ઉનાળામાં શું થશે? ગરમીમાં કેવો અહેસાસ થશે?. ત્યારે આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે હમણા વરસાદની કોઈ સંભાવના નથી. આવનાર પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે.   


અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે.. 

એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આવનાર દિવસોમાં ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યના હવામાનમાં ફરી એક વખત બદલાવ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ આવશે ઉપરાંત  કરા પડવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. 


માર્ચમાં આવી શકે છે માવઠું! 

અંબાલાલ કાકા ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આવા પ્રકારની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે. આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. આગાહી કરતા તેમણે કહ્યું કે 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. માવઠાને લઈ તેમણે કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.