Parliamentમાં આજે No Confidence Motion પર થશે ચર્ચા, પીએમ મોદી આ તારીખે આપી શકે છે જવાબ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 10:05:20

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની છે. ત્રણ દિવસ સુધી આ ચર્ચા ચાલવાની છે અને એવી માહિતી સામે આવી રહી છે કે ગુરૂવારે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. આજથી લોસભામાં ત્રણ દિવસ માટે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. મહત્વનું છે રાહુલ ગાંધી આ સત્રમાં પ્રથમ વખત સંસદમાં હાજર થશે.  

સંસદમાં આજથી થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 

રાહુલ ગાંધીને ગઈકાલે પોતાનું સાંસદ પદ પરત મળ્યું છે. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ તેમને બે વર્ષની સજા આપવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ જતું રહ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી સજા પર સ્ટે મૂક્યો હતો. જેને કારણે તેમને સાંસદ પદ પાછું મળ્યું હતું અને લોકસભાની ચૂંટણી પણ તે હવે લડી શકશે. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. એમ પણ સંસદમાં હોબાળો થાય તે કોઈ નવી વાત નથી. વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે આજે બપોર બાદ તેની પર સંસદમાં ચર્ચા થવાની છે. વિપક્ષી પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને પેશ કરવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી ચર્ચાની કરી શકે છે શરૂઆત! 

મહત્વનું છે કે સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હંગામો થાય છે. હોબાળાને કારણે અનેક વખત સંસદને સ્થગિત પણ કરવામાં આવી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ થઈ ગયા પરંતુ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણાયક પગલાં નથી લેવામાં આવ્યા. આ મામલે નથી તો પીએમ મોદીએ કોઈ નિવેદન આપ્યું. ત્યારે આ મામલે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજની સંસદ રસપ્રદ રહી શકે છે કે કારણ કે રાહુલ ગાંધી પણ સંસદમાં હશે અને આજથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!