લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર! જાણો કયા દિગ્ગજ નેતાના પુત્રએ કરી સી.આર.પાટીલ સાથે મુલાકાત કે બની ગઈ ન્યુઝ!


  • Published By :
  • Published Date : 2023-06-07 13:52:51

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ સાથેના મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યારે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 


ફૈઝલ પટેલે કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત! 

ચૂંટણી નજીક આવતા નેતાઓ એક બીજા સાથે મુલાકાત કરતા હોય છે. પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોય છે. અનેક નેતાઓ પાર્ટીને છોડે છે તો અનેક નેતાઓ પાર્ટીને જોઈન કરતા હોય છે. ત્યારે આજે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત અંગે ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ફૈઝલ પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો.


સી.આર.પાટીલ સાથે કરી ફૈઝલ પટેલે કરી બેઠક!

ચૂંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં દેખાતી હોય છે. રાજકીય સમીકરણો ચૂંટણી નજીક આવતા બદલાઈ જતા હોય છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. ત્યારે ત્રીજી વખત ભાજપ કેન્દ્રમાં આવે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. તે સિવાય સંગઠનને મજબૂત કરવા પર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે તે બધા વચ્ચે કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહમદ પટેલના પુત્રએ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.