Nitish Kumarના સાંસદે INDIA Allianceની મળેલી બેઠકને લઈ ફરિયાદ કરી! કહ્યું સમોસા નહોતા, ગંભીર વાતચીત થઈ શકી ન હતી


  • Published By :
  • Published Date : 2023-12-21 11:40:37

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં સામેલ થવા અનેક દિગ્ગ્જ નેતાઓ આવ્યા હતા. મમતા બેનર્જી, નિતીશ કુમાર સહિતના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના નામ પર ચર્ચા થઈ, ઉપરાંત બેઠકોને લઈ વિચાર વિમર્શ થયો. આ બધા વચ્ચે જેડીયુના નેતાનું દર્દ છલકાઈ આવ્યું! જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટુએ કહ્યું કે મીટિંગમાં સમોસા ન હતા,  માત્ર ચા- બિસ્કિટ હતા, કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકી નહીં.

India BLOC meeting

દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની મળી હતી બેઠક       

દેશમાં અનેક સમસ્યાઓ છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. સંસદમાંથી અનેક વિપક્ષી સાંસદોઓને સસ્પેન્ડ થયા પર ચર્ચા થવી જોઈએ. અનેક સાંસદો આનો વિરોધ કરી રહ્યા હતા. 19 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ બેઠક થવાની હતી પરંતુ તેને કેન્સલ કરવામાં આવી. ત્યારે અનેક વખત ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ થઈ. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આ બેઠક પૂર્ણ થઈ અને આ મીટિંગમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા થઈ. 

માત્ર ચા અને બિસ્કિટમાં મીટિંગ પતાવી દીધી!

ઈન્ડિયાની બેઠકમાં અનેક મુદ્દાઓ પર તકરાર પણ થઈ. પરંતુ જેડીયુના એક નેતાનું દર્દ તો કંઈક અલગ જ હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન સમોસા ન રાખવામાં આવ્યા, ખાલી ચા-બિસ્કિટ આપીને મીટિંગ પૂર્ણ કરી દીધી. આ નિવેદન જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટૂ દ્વારા આપવામાં આવ્યું છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યારે મીટિંગ થતી હતી ત્યારે સમોસા તો મળતા જ હતા, પરંતુ આ વખતની બેઠકમાં માત્ર ચા બિસ્કિટમાં પતાવી દીધું. કોંગ્રેસ પોતે કહે છે કે તેમની પાસે ફંડની કમી છે. એટલે આ વખતે માત્ર ચા બિસ્કીટથી કામ પતાવી દીધું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.