પાકિસ્તાનના અનેક શહેરોમાં છવાયો અંધારપટ, પાવર ટ્રાન્સમિશન લાઈન ફેલ થતા વિજળી ગૂલ થઈ


  • Published By :
  • Published Date : 2023-01-23 11:32:13

પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને મોંઘવારી સહન કરવા મજબૂર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. હાઈટેન્શન ટ્રાંસમિશન લાઈન ખરાબ થઈ જવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટ થઈ ગયો છે.     


અનેક મોટા શહેરોમાં છવાયો અંધારપટ

એક તરફ પાકિસ્તાનમાં જ્યાં લોકો લોટ માટે પડાપડી કરી રહ્યા છે મોંઘવારી પોતાની ચરમ સીમાએ પહોંચી છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આર્થિક સંકટ અને મોંઘવારીના સંકટથી બહાર નથી આવ્યો ત્યારે વધુ એક સંકટે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે જેને કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા માટો શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે.  


મેટ્રો ટ્રેન સુવિધા થઈ પ્રભાવિત 

અંધારપટને લઈને પાકિસ્તાનના ઉર્જામંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર સવારે લગભગ સાત વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડ સિસ્ટમ ફ્રિક્વંસી ફેલ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થઈ જવાને કારણે દેશભરની પાવર સિસ્ટમ પર અસર થઈ છે અને પાવર કટ થઈ ગયો છે. વીજળી ન હોવાને કારણે મેટ્રો ટ્રેનને પણ અસર પહોંચી છે. જેને કારણે મેટ્રોમાં સફર કરનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.