દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરતા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી! ઘર્ષણ દરમિયાન કુસ્તીબાજો થયા ઈજાગસ્ત! વાંચો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-04 10:28:51

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. શાંતિથી હજી સુધી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા પરંતુ બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપીમાં અનેક કુ્સ્તીબાજો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયું ઘર્ષણ!

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના અધ્યક્ષ વિરૂદ્ધ  ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ ચરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. પરંતુ હજી સુધી અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ કુસ્તીબાજોએ ધરણા યથાવત રાખ્યા છે. ત્યારે બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમની સાથે મારપીટ કરી હતી ઉપરાંત ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા તે બાદ વિવાદ શરૂ થયો હતો. જ્યારે નેતાને રોકવામાં આવ્યા તે સમયે વિવાદ શરૂ થયો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.

    

પી.ટી ઉષાને કરવો પડ્યો હતો વિરોધનો સામનો!

આ હોબાળા દરમિયાન અનેક કુસ્તીબાજોને ઈજા પહોંચી હતી. વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી રડવા લાગ્યા. તે ઉપરાંત બજરંગ પૂનિયાએ પોતાના મેડલ ભારત સરકારને સોંપવાની વાત કરી હતી. મળતી માહિતી અનુસાર કુસ્તીબાજોએ પોલીસ પ્રોટેક્શન પણ પાછું આપી દીધું છે. તે ઉપરાંત જ્યારે પહેલવાનોના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે જ્યારે પી.ટી ઉષા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ લડાઈનો શું અંત આવે છે?      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!