દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરતા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી! ઘર્ષણ દરમિયાન કુસ્તીબાજો થયા ઈજાગસ્ત! વાંચો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-04 10:28:51

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. શાંતિથી હજી સુધી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા પરંતુ બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપીમાં અનેક કુ્સ્તીબાજો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયું ઘર્ષણ!

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના અધ્યક્ષ વિરૂદ્ધ  ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ ચરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. પરંતુ હજી સુધી અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ કુસ્તીબાજોએ ધરણા યથાવત રાખ્યા છે. ત્યારે બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમની સાથે મારપીટ કરી હતી ઉપરાંત ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા તે બાદ વિવાદ શરૂ થયો હતો. જ્યારે નેતાને રોકવામાં આવ્યા તે સમયે વિવાદ શરૂ થયો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.

    

પી.ટી ઉષાને કરવો પડ્યો હતો વિરોધનો સામનો!

આ હોબાળા દરમિયાન અનેક કુસ્તીબાજોને ઈજા પહોંચી હતી. વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી રડવા લાગ્યા. તે ઉપરાંત બજરંગ પૂનિયાએ પોતાના મેડલ ભારત સરકારને સોંપવાની વાત કરી હતી. મળતી માહિતી અનુસાર કુસ્તીબાજોએ પોલીસ પ્રોટેક્શન પણ પાછું આપી દીધું છે. તે ઉપરાંત જ્યારે પહેલવાનોના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે જ્યારે પી.ટી ઉષા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ લડાઈનો શું અંત આવે છે?      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.