તલાટીની પરીક્ષામાં થયો છબરડો! વડોદરાની MS Universityમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોના ન લેવાયા થમ્બ ઈમ્પ્રેશન! આ મુદ્દે હસમુખ પટેલે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 18:34:16

7મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ તલાટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 123 જેટલા ઉમેદાવારોના થમ્બ ઈમ્પ્રેશન નથી લેવામાં આવ્યા. પોલિટેક્નિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાંથી થી આ ગંભીર ક્ષતિ સામે આવી છે. આ છબરડો સામે આવતા  હસમુખ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.     

એમ.એસ યુનિવર્સિટીમાં થયો છબરડો!

તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ગયા રવિવારે પૂર્ણ થઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. હસમુખ પટેલના શીરે આ પરીક્ષાની જવાબદારી હતી. નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વડોદરાથી તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક યુનિટમાં 123 ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં ન આવ્યા હતા. 15 વર્ગખંડમાંથી 8 વર્ગખંડમાં અંગૂઠાની ઈમ્પ્રેશન લેવામાં આવી ન હતી જ્યારે બાકીના 7 વર્ગખંડમાં ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ચેક કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના અંગે આઈપીએસ હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે. 


હસમુખ પટેલે આપ્યા તપાસના આદેશ!

આ મામલે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં પરંતુ બેદકરકારી હોય તેવું લાગે છે. તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.