Gujarat BJP સંગઠનમાં મોટો ડખો પડ્યો! સી.આર.પાટીલને પદ પરથી હટાવવા ભાજપના નેતાએ કર્યો પ્રયાસ! જાણો જિનેન્દ્ર શાહ કેસમાં શું આવ્યો નવો વળાંક?


  • Published By :
  • Published Date : 2023-08-02 15:38:58

ભારતીય જનતા પાર્ટી જેનું નામ પડે એટલે બધા એમ કહે કે આ શિસ્ત બદ્ધ પાર્ટી છે. એવી પાર્ટી કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવાય તો નાના કાર્યકર્તા થી લઈને મોટા નેતા બધા સહકાર આપે. પણ એક બીજેપીમાં જુથવાદ થવા લાગે અને અધ્યક્ષ સી.આર. પાટિલ વિરુદ્ધ જ ભાજપના નેતા ષડયંત્ર કરે તો. અમે વાત કરી રહ્યા છીએ એક એવા વીડિયોની જે થોડા સમય પહેલા સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ સી.આર.પાટીલ પર આક્ષેપ લગાવ્યા હતા.   


જિનેન્દ્ર શાહે કર્યા સી.આર.પાટીલ પર ભ્રષ્ટાચારના આરોપ

ભાજપ પોતાની રણનીતિને લઈ હંમેશા વખાણ થાય છે. અને તેમાં પણ ચૂંટણી સમયે સી.આર.પાટીલ દ્વારા ઘડવામાં આવતી રણનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડાં સમય પહેલાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ 80 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવી ચાંઉ કરવાનો આક્ષેપ જિનેન્દ્ર શાહે કર્યો હતો. મામલો સામે આવતા રાજકોટના યુવક જિનેન્દ્ર શાહની સુરત પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 


સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં આવ્યું ગણપત વસાવા અને તેમના કાર્યકર્તાઓનું નામ!

વાત ત્યારે શરૂ થઈ જ્યારે જિનેન્દ્ર નામના યુવકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતો વીડિયો રીલીઝ કર્યાં. તે પછી દક્ષિણ ગુજરાતના ભાજપના જ કેટલાક લોકોએ તેનો સંપર્ક કરી પત્રિકાઓ છપાવી અને પાટીલ વિરુદ્ધ અપપ્રચાર શરૂ કર્યો. આ મુદ્દે ગણપત વસાવાનું નામ બહાર આવ્યું છે. આ મામલે તપાસ થવાની હજી હવે શરૂઆત થઈ છે. આગામી સમયમાં હજુ તો ઘણા બધા નેતાઓના નામ સામે આવી શકે છે. આ એ જ બધા નેતા છે જે રાહ જુવે છે કે crpatil ક્યારે અધ્યક્ષ પદથી રાજીનામું આપે અને એટલે જ અનેક વાર એવી અફવા પણ ફેલાવવામાં આવી છે કે સી.આર.પાટીલ પદ છોડી રહ્યા છે.

 

નામ સામે આવતા ગણપત વસાવાએ કરી સી.આર.પાટીલ સાથે વાત 

ગણપત વસાવાનું નામ બહાર આવતા ગણપત વસાવાએ કહ્યું કે પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી. તે બાદ મેં (ગણપત વસાવા) પાટીલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને જેની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી.


જિનેન્દ્રએ પોલીસને સોંપ્યા છે આ મામલે અનેક પૂરાવા 

આ સમગ્ર કેસમાં જિનેન્દ્રએ પોતે કરેલા આક્ષેપોને સાબિત કરવા માટે કેટલાંક દસ્તાવેજી પૂરાવા પોલીસને સોંપ્યા છે. આ પૂરાવાની તપાસ પણ પોલીસ કરી રહી છે. ત્યારે એ તપાસમાં પણ અનેક નામ સામે આવી શકે છે ભાજપમાં જુથવાદની આ ચરમશીમાં છે. 


થોડા સમય પહેલા જિનેન્દ્રએ વીડિયો કર્યો હતો જાહેર 

જિતેન્દ્રએ જે વીડિયો વાયરલ કર્યો હતો તેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે હું ભાજપના ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બે વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 2 વર્ષથી હું તેમની સાથે કામ કરી રહ્યો છું. મારું કામ પાર્ટીનું ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું છે. 2022 ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મને કામ આપ્યું હતું.  જેટલું થઇ શકે તેટલું પાર્ટી ફંડ ભેગું કરો. આ ચૂંટણી ખુબ જ ગંભીર ચુંટણી છે એટલે આ વખતે પાર્ટીને ફંડની સૌથી વધુ જરૂર છે. તેમાંથી 10 ટકા કમીશન તમને મળશે. જેથી મે સી.આર.પાટીલને 80 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરીને દીધું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!