ગુજરાત ભાજપના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, રાજીનામાનો સ્વીકાર કરાતા સંગઠનનું કરાયું વિસર્જન


  • Published By :
  • Published Date : 2023-03-01 12:33:08

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિત જીત હાંસલ કરી છે. જીત હાંસલ થયા બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. 


સંગઠનમાં થઈ શકે છે મોટા પાયે ફેરફાર 

આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ પોતાના કબજે કરી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક શહેરના તેમજ જિલ્લા પ્રમુખ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને તેમના રાજીનામાનો સ્વીકાર સી.આર.પાટીલે કર્યો છે. ત્યારે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરાતા સમિતિનું વિસર્જન કરાયું છે. 


આ પહેલા વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું 

બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લા તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અને થોડા કલાકોમાં જ નવા પક્ષ પ્રમુખોની નિમણૂંક કરી દીધી હતી.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.