Gujaratમાં અનેક બેઠકો માટે AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, જાણો કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-03-20 12:40:07

લોકસભા ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બાકી અનેક બેઠકો માટે પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. મહત્વનું છે કે ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આગામી બે દિવસો દરમિયાાન આ અંગેની ચર્ચા થઈ શકે છે. ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે પેટા ચૂંટણી માટે પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.          


આ બેઠકો માટે થઈ શકે છે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન! 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે. ભરૂચ તેમજ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 24 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દીધા હતા પરંતુ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી અંગત કારણોસર પરત ખેંચી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે બાકીની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હમણાં માત્ર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે ગઠબંધન થઈ શકે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.