વાવની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનો ધૂંઆધાર પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-11-04 16:32:43

વાવની વિધાનસભાની ચૂંટણી જાણે આખા રાજ્યમાં હોય તેમ છવાયેલી છે.. હવે વટનો સવાલ બની છે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ માટે પણ... ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે... 13 તારીખે મતદાન થવાનું છે. 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે.. કોંગ્રેસ સહિતના તમામ અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.... જીતનો વિશ્વાસ સૌ કોઈને છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધનાધન એક પછી એક ગામમાં પ્રચાર કરી રહ્યાં છે... ગેનીબેનની સાથે રહીને આ પ્રચાર કેટલો રંગ લાવે છે એ સમય બતાવશે પણ મોટુ નિવેદન આપ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય છે જ નહીં....

કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? 

કોંગ્રેસના ઉમેદવાર વાવના માડકા ગામમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા હતા.. અને મોટુ નિવેદન આપતા કહ્યું કે, હાલની તારીખમાં આ વાવની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.. ભાજપ ક્યાંય હરિફાઈમાં છે જ નહીં... બીજુ બાજુ ભાજપે પણ પોતાના પક્ષે મોરચો ઉતાર્યો છે વાવની જનતાને પોતાની સમક્ષ કરવા માટે.... વાવ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે નુકસાન થાય છે તેનો પ્રશ્ન હોય આવા પ્રશ્નોના જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશું અ ને નિરાકરણ પણ લાવસુ જેની ખાતરી આપું છું. 



ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું?

વધુમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ હાલની હરિફાઈમાં કે ચિત્રમાં નથી. કોઈ ભાજપમાં વિચારતું હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું ચૂંટણીની હરીફાઈ બે પક્ષની જ રહેવાની છે. એક કોંગ્રેસની રહેવાની છે અને બીજી અપક્ષની રહેવાની છે. ભાજપ હરીફાઈમાં બે તાલુકામાં ક્યાંય છે જ નહીં. તમે બધા તમારા ગામડાઓમાં પણ દેખતા હશો આપ સૌને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ ક્યાંય વેચાય ન જાય એવું બધું ગામમાં કહેજો અને 13 તારીખે કોઈપણ કામ હોય એક દિવસ મારા માટે મહેનત કરજો એવી વિનંતી કરું છું.



ગેનીબેન ઠાકોરની સીટ ખાલી થતા યોજાવાની છે ચૂંટણી

મહત્વનું છે કે વાવ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે... ગેનીબેન ઠાકોર પહેલા વાવના ધારાસભ્ય હતા પરંતુ સાંસદ તરીકે તે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ચાલી પડી છે જેને કારણે ત્યાં હવે પેટા ચૂંટણી થવાની છે.. કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે અંતિમ સમય સુધી બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ના હતા.. ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું અને તે બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરના નામની ઘોષણા કરી... બંને પાર્ટી ઉમેદવારના પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વાવની જનતા કોના પર પસંદગી ઉતારે છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે