Sabarkathaમાં વિકાસના નામે કશું નથી આઝાદી બાદ અહીંયા રોડ જ નથી બન્યો! આ પરિસ્થિતિ અનેક વિસ્તારોની હશે....


  • Published By :
  • Published Date : 2023-11-03 10:55:36

વિકાસની મોટી મોટી વાતો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે એવી વાતો કરતા પહેલા તેમણે અંતરિયાળ વિસ્તારથી આવેલા દ્રશ્યોને જોઈ લેવા જોઈએ. ગુજરાતને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, વિશ્વભરમાં એવી વાતો કરાય છે કે તેવા ગુણગાન ગવાય છે કે જાણે ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા હોય. પરંતુ અનેક વીડિયો તેમજ અનેક કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે સરકારને વાસ્તવિક્તા બતાવવા માટે પૂરતા હોય છે. છોટાઉદેપુર તેમજ ડાંગથી તો આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં વિકાસની પોલ ખુલી જતી હોય છે. ત્યારે સાબરકાંઠાથી વીડિયો સામે આવ્યો છે જેમાં બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી સારવાર માટે લઈ જવાય છે.  પોશીના તાલુકાના ગુજરા કરમદી કળી વિસ્તારની ઘટના છે. 

પરિવારને બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને 5 કિમી ચાલવુ પડ્યું

સારા રસ્તા માટે પણ લોકો ઝંખી રહ્યા છે 

એક તરફ આપણે મેટ્રો ટ્રેનની અને બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ. તેના સપના જોઈએ છે તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામડામાં રહેતા લોકો તો સારા રસ્તા માટે ઝંખના કરી રહ્યા છે. આઝાદીના અનેક વર્ષો વીતિ ગયા, દેશ તેમજ રાજ્ય પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, સરકારની ભાષામાં કહીએ તો બુલેટગતિથી વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે..! પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના જ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જે વિકાસ માટે તરસી રહ્યા છે. બુલેટ કે મેટ્રો ટ્રેનની વાત તો દૂર પરંતુ ત્યાં તો હજી સારા રસ્તા પણ નથી પહોંચ્યા. સારા રસ્તા પણ નહીં પરંતુ સામાન્ય રોડ પણ નથી બન્યો. એક તરફ આપણે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ જ્યારે આદિવાસી અને છેવાડાના આ લોકો સુધી વિકાસનો વી પણ નથી પહોંચ્યો એ લોકો માટે વિકાસ શું છે તેની કોઈ પરિભાષા જ નથી કારણકે એ લોકો એ વિકાસ જોયો જ નથી.


આઝાદીના આટલા વર્ષો બાદ પણ નથી બદલાઈ પરિસ્થિતિ!

ગુજરાતના અનેક ગામડા એવા છે જ્યાં સામાન્ય અને મેઇન રસ્તા જ નથી.  વીડિયોમાં જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે સારા રસ્તા ન હોવાને કારણે વૃદ્ધને ઝોળી કરીને લઈ જવા પડે છે. ન માત્ર વૃદ્ધોને પરંતુ ગર્ભવતી મહિલાને પણ આવી જ પરિસ્થિતિથી અને આવી રીતે લઈ જવામાં આવે છે. આ ઘટનાની કરૂણ વાસ્તવિક્તાતો એ છે કે આઝાદી બાદથી આજ દિન સુધી આ વિસ્તારોમાં રોડ બન્યો નથી. તંત્રનો વિકાસ હજી પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકારના આરોગ્ય સેવાઓના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે કારણ કે આરોગ્ય સેવા પહોંચાડવા માટે રસ્તા તો હોવા જોઈએને. 


એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ગયો વ્યક્તિનો જીવ 

થોડા સમય પહેલા વાંસદાથી પણ એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયો વાંસદા પાસેના ખાટા આંબા ગામનો હતો. જ્યાં કોઈ રસ્તો જ નથી. વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાંજ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. આ તો એવા કિસ્સાઓની વાત કરી જે પ્રકાશમાં આવ્યા છે, શહેરમાં રહેતા લોકો માટે આવા દ્રશ્યો નવા હોઈ શકે પરંતુ ગામડામાં રહેતા લોકોને આવી પરિસ્થિતિનો સામનો પ્રતિદિન કરવો પડે છે. જે દ્રશ્યો જોઈને આપણને થાય કે આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે રહી શકે તેવી પરિસ્થિતિમાં આ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. 

દયાળુ સરકાર આ લોકો પર પણ થોડી દયા કરો!

આવા વીડિયો જોયા પછી પછી એવી જ વાત દિમાગ આવે કે સત્તાધીશોને આ કરૂણ દ્રશ્યો જોયા પછી કોઈ અસર થશે? તેમને આ લોકોની પીડા સમજાશે? બસ આ જ રીતે અનેક જિંદગીઓ કચડાઈ જાય છે સિસ્ટમની બેદરકારી અને કામચોરીના કારણે. જ્યારે માણસ એ ગામમાં રહે છે ત્યારે તે કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ સમસ્યાનો તેને સામનો કરવો પડે છે તે ત્યાં રહેતા લોકોને જ ખબર હોય... ત્યારે કહેવાની ઈચ્છા થાય કે હે દયાળુ સરકાર થોડી દયા આ લોકો પર પણ કરો! બીજી વાત પણ એમાં સામે આવી છે કે ત્યાં વસતા લોકોને પોતાની જગ્યા છોડવી નથી.  ડુંગરાળ વિસ્તારમાં વસતા લોકો આજે પણ એમની પરંપરા પ્રમાણે જીવન નિર્વાહ કરી રહ્યા છે અને ડુંગરો પર વસવામાં આ લોકો માને છે.!



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!