કર્ણાટકથી પાણીપુરીને લઈ એવા સમાચાર સામે આવ્યા જે પાણીપુરી ખાનાર લોકોનું ટેન્શન વધારી શકે છે...!


  • Published By :
  • Published Date : 2024-07-04 18:06:04

"પાણીપુરી" આ શબ્દ સાંભળતાજ આપણને મોમાં પાણી આવી જાય છે. આપણા ભારતમાં આ વાનગી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. નવી દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ ગોલગપા તરીકે ઓળખાય છે જયારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે . ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં પાણીપુરી તરીકે ઓળખાય છે. આજે પાણીપુરીની વાત એટલા માટે કરવી છે કારણ કે પાણીપુરીમાં કેન્સર જન્ય તત્વો સામે આવ્યા છે જેનાથી ખળભળાટ મચી ગયો છે! 

પાણીપુરી ખાવાથી થઈ શકે છે કેન્સર!

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત  કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા  ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે. 



ટેસ્ટ માટે પાણીપુરીના સેમ્પલો લેવાયા અને.. 

કર્ણાટકના આ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા પાણીપુરીના કુલ ૨૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.. જેમાં ૪૧ સેમ્પલમાં તો બનાવટી કલર વાપરવામાં આવ્યો હતો. આજ કલરમાંથી , karsinogenik એજન્ટ્સ એટલે કે જે કેન્સર કરી શકે તેવા તત્વો મળી આવ્યા હતા. આ મામલે ફૂડ અને સેફટી કમિશ્નર શ્રીનિવાસન કે એ જણાવ્યું હતું કે , અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તારણો બાદ જે લોકો પાણીપુરી નિયમિત રૂપથી ખાય છે, તેમણે ચેતવાની જરૂર છે. પાણી પુરી બનાવામા વપરાતા કેમિકલ કેન્સરને નોતરી શકે છે. 


ખાણી પીણીની વસ્તુઓમાંથી નીકળી રહ્યા છે..  

કર્ણાટક સરકારના ફૂડ સેફટી વિભાગ દ્વારા કેહવામાં આવેલી વાત બાદ સમગ્ર દેશમાં પાણીપુરીના ચાહકોને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ ખાણીપીણીની વાનગીઓમાં એમાં પણ તૈયાર ફૂડ પેકેટ્સમાં તો દેડકો, કાનખજુરો, અને મરેલી ગરોળી વંદો નીકળવાની ઘટના બની રહી છે. એટલે બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.