Gujaratમાં છે શિક્ષકોની ઘટ, TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવા આવી રીતે કરી રજૂઆત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 12:43:29

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. અનેક શાળાઓના વીડિયો આપણે જોયા છે જેમાં ભણવા માટે બાળકો હોય છે પરંતુ તેમને ભણાવા માટે શિક્ષકો નથી હોતા. અનેક  શાળાઓ એવી છે જ્યાં આખી શાળા માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે.. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ.. ગીતના માધ્યમથી પોતાની રજૂઆત મૂકી છે.

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.  શિક્ષક બાળકને ભણાવી એ કાબિલ બનાવે છે કે તે દુનિયા સાથે હરીફાઈ કરી શકે.. એવો સક્ષમ બનાવે છે કે તે દુનિયાની કોમ્પિટિશનમાં ટકી શકે.. ગુજરાતમાં પણ શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાંની સ્થિતિ જોઈ દયા આવી જાય.. અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં ગમે ત્યારે ઓરડો તૂટી શકે તેવી હાલત હોય છે. શિક્ષણથી રાજ્ય આગળ વધે તેવું કહીએ છીએ પરંતુ શિક્ષણની પથારી ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


ગીતના માધ્યમથી ટેટ ટાટ પાસ ઉમેદવારે કરી રજૂઆત

રાજ્યમાં શિક્ષકોની કમી છે તે વાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવી છે.. ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત સરકારને રજૂઆત કરી છે અને પોતાની માગ તેમના સમક્ષ રાખી છે. શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી છે. ગીતના માધ્યમથી આ વખતે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે સરકાર ક્યારે ભરતી કરશે તે જોવાનું રહ્યું.      



જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનેક દારૂની બોટલો મળી આવી હતી.

જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ પણ કેટલીક શરતો સાથે..