Gujaratની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ સરકાર... જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-25 15:10:59

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં બાળકો હોય છે તો શિક્ષકો નથી હોતા, જ્યાં બંને હોય છે ત્યાં શાળાની બિલ્ડીંગ જર્જરિત હોય છે. શિક્ષકોની શાળામાં ઘટ છે તેવી વાત તો અનેક વખત કરવામાં આવી છે. એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. તો બીજી તરફ જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી હતી. શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં શિક્ષકોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો.

પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત છે પરંતુ..!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને કાયમી ભરતી થાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી તેમજ કોંગ્રેસ પાર્ટી આવી હતી. ત્યારે વિદ્યા સહાયકની ભરતીને લઈ કોંગ્રેસે એક ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30 હજારથી વધારે શિક્ષકોની અછત છે તેમ છતાં રાજ્ય સરકારે માત્ર 2750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે. 


કાયમી શિક્ષકોની માગ સાથે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલાને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો. 



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.