Gujaratની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ સરકાર... જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-11-25 15:10:59

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં બાળકો હોય છે તો શિક્ષકો નથી હોતા, જ્યાં બંને હોય છે ત્યાં શાળાની બિલ્ડીંગ જર્જરિત હોય છે. શિક્ષકોની શાળામાં ઘટ છે તેવી વાત તો અનેક વખત કરવામાં આવી છે. એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. તો બીજી તરફ જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી હતી. શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં શિક્ષકોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો.

પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત છે પરંતુ..!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને કાયમી ભરતી થાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી તેમજ કોંગ્રેસ પાર્ટી આવી હતી. ત્યારે વિદ્યા સહાયકની ભરતીને લઈ કોંગ્રેસે એક ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30 હજારથી વધારે શિક્ષકોની અછત છે તેમ છતાં રાજ્ય સરકારે માત્ર 2750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે. 


કાયમી શિક્ષકોની માગ સાથે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલાને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!