ગુજરાત હવામાન વિભાગે કહ્યું નવરાત્રિ દરમિયાન વરસાદ વરસી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 16:39:40

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે પરંતુ નવરાત્રિના સમયમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ રહેશે તો ખેલૈયાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડશે. 


હવામાન વિભાગની માછીમારોને આગાહી 

ભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગે માછીમારોને જાણકારી આપી હતી. ગુજરાત હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી હતી કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે માછીમારી કરવા ના જાય. 


વરસાદ તમારી નવરાત્રિ બગાડી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર બાદ સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ 2022 રહેશે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડે તેવી સંભાવના છે. 


કેટલા શહેરોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદથી 24 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 124 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.