ચીનમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો, લાખો લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-24 13:13:35

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં તો હાલત બેકાબૂ બની રહી છે. ચીનમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. દવાઓ ખૂટી રહી છે. 


આગામી દિવસોમાં વધી શકે છે કોરોનાનો કહેર 

ચીનમાં કોરોના વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોના વધતા ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. ઝીરો કોવિડ પોલીસીનો લોકોએ વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરી લોકો વિરોધ કરી રહ્યા હતા. જેને કારણે નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા હતા. નિયમો હળવા કરાતા ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 20 દિવસની અંદર અંદાજીત 20 લાખ 50 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. 


શાંઘાઈમાં પણ હાલાત ખરાબ થઈ શકે છે   

ચીનમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખ પહોંચી શકે છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણની વાતો વિશ્વમાં થઈ રહી છે પરંતુ ચીન સરકારના આંકડા પ્રમાણે 22 ડિસેમ્બરના રોજ કોઈનું પણ મૃત્યુ નથી થયું ઉપરાંત માત્ર 3761 લોકો જ કોરોના સંક્રમિત થયા છે. શાંધાઈમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.            



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.