દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 49 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-14 12:31:23

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે આજે 11 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. સાત મહિના બાદ કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 49 હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 49 હજાર 622 પર પહોંચી ગઈ છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ 

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસ પાંચ હજારની આસપાસ નોંધાયા હતા જે બાદ છ હજાર  કેસ નોંધાયા છે. બુધવારે 7 હજાર કેસ નોંધાયા છે. ગુરૂવારે 10 હજાર કેસ નોંધાયા છે. જ્યારે આજે તો 11 હજારને પાર કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 11,109 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 29 જેટલા લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં 49 હજારને પાર પહોંચી છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોના સંક્રમણને કારણે દેશમાં થયા છે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી આગળ હોય તો તે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો છે. કેરળમાં 3420 નવા કોરોનાના કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1115 નવા કેસ નોંધાયા છે. 642 કોરોનાના કેસ હરિયાણાથી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 442 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 417 કેસ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. ઉપરાંત કોરોનાને કારણે રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા આદેશ આપ્યો છે. ત્યારે લોકોએ પણ કોરોનાને લઈ સાવચેત રહેવું પડશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.