સોમનાથ મંદિર પરિસરમાં બની ચોરીની ઘટના, મંદરિના લોકરમાંથી ચોરાયો સામાન


  • Published By :
  • Published Date : 2022-12-27 16:16:08

રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક સ્થળો પર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ચોરી થવાની ઘટના સોમનાથ મંદિરમાં બની છે. સોમનાથ મંદિરના લોકરમાંથી પ્રવાસીએ જમા કરાવેલી વસ્તુઓની ચોરી થઈ છે. સામાનની ચોરી થતા પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે. 


મંદિરના લોકરમાંથી થઈ સામાનની ચોરી 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ, બેગ જેવા સામાનો સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શનાર્થીઓને સુવિધા રહે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્શનાર્થે ગયેલા રાહુલ નામ વ્યક્તિના સામાનની ચોરી લોકર રૂમમાંથી થઈ હતી. આ સામાનમાં 3 મોબાઈલ ફોન હતા, કેશ હતી, આઈડી હતા. 


પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

દર્શન કરવા જતા પહેલા રાહુલે પોતાનો સામાન લોકરમાં રાખ્યો હતો. પરંતુ દર્શન કરીને પરત જ્યારે સામાન લેવા ગયા ત્યારે તેમનો સામાન લોકરમાં ન હતો. લોકરમાંથી સામાનની ચોરી થતા આ અંગેની જાણકારી ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફોટેજ ચેક કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિરના લોકરમાંથી ચોરી થતા દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.