માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિંત, કૃષિ મંત્રીનો દાવો 'ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું આપ્યું વળતર'


  • Published By :
  • Published Date : 2023-11-24 17:12:22

ગુજરાત પર આસમાની આફત તોળાઈ રહી છે જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં શિયાળુ પાકને જબરદસ્ત નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને આગોતરા પગલા લેવાની સુચના આપી છે. માર્કેટ યાર્ડોને વેપારીઓ તથા ખેડૂતોના કૃષિ પાકને તાડપત્રીથી ઢાંકવાની તાકીદ કરવામાં આવી છે. હવે આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યું છે. 


રાઘવજી પટેલે શું કહ્યું?


કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.


આ જિલ્લાઓમાં માવઠું


માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!