માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિંત, કૃષિ મંત્રીનો દાવો 'ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું આપ્યું વળતર'


  • Published By :
  • Published Date : 2023-11-24 17:12:22

ગુજરાત પર આસમાની આફત તોળાઈ રહી છે જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં શિયાળુ પાકને જબરદસ્ત નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને આગોતરા પગલા લેવાની સુચના આપી છે. માર્કેટ યાર્ડોને વેપારીઓ તથા ખેડૂતોના કૃષિ પાકને તાડપત્રીથી ઢાંકવાની તાકીદ કરવામાં આવી છે. હવે આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યું છે. 


રાઘવજી પટેલે શું કહ્યું?


કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.


આ જિલ્લાઓમાં માવઠું


માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.