નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતની કામગીરી આજ માટે રખાઈ મોકૂફ, સ્થાનિકોના વિરોધ સામે તંત્રને ઝૂકવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-02-16 11:25:02

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. ડિમોલીશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોરશોરથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂરુષોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. ભારે વિરોધ જોતા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.  


આજે થવાની હતી કપાતની કામગીરી 

નારણપુરામાં રોડને પહોળો કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા કપાતની કામગીરી કરવામાં આવવાની હતી. કપાત થવાની વાત મળતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન કરવા પહોંચી ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઘરે ઘરે બેનરો લગાવાયાં.



છેલ્લી ઘડીએ કામગીરી રખાઈ મોકૂફ 

વિરોધ કરવા સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે  ભેગા થયા હતા. કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકો દ્વારા કપાતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને અગવડ ના પડે તે માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું પરંતુ વિરોધને કારણે આ કામગીરીને એક દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે. જેને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.