મતવિસ્તારમાં થતા કામોનું મોનિટરિંગ થશે સચિવાલયમાં! ધારાસભ્યો,સાંસદોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કરાશે આ ખાસ વ્યવસ્થા! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 14:11:05

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓને અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. જો અમારી સરકાર ચૂંટાઈને આવશે તો આ કામ કરવામાં આવશે, વિકાસના કામો તેજગતિથી વધશે સહિતના અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાતાની શું હાલત હોય છે તે વાતને આપણે સૌ જાણીએ છીએ. વિપક્ષ દ્વારા અનેક વખત એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે તેમના વિસ્તારમાં કામો નથી થતાં. ન માત્ર વિપક્ષ પરંતુ સત્તા પક્ષના પણ અનેક ધારાસભ્યોએ આ વાત કહી છે. ત્યારે આવી ફરિયાદો તેમજ વાતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય-સાંસદો માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એક સ્પેશિયલ ટીમ બનશે જે મત વિસ્તારમાં થતાં કામોનું મોનિટરિંગ કરી શકે છે.      

   

સચિવાલયમાં સ્પેશિયલ સેલ બનાવવા ચાલતી વિચારણા

અનેક વખત એવી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે તેમના વિસ્તારમાં કામ નથી થતું. ધારાસભ્યો તેમજ સાંસદોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેનું નિરાકરણ થતું નથી. ફરિયાદોનું નિવારણ નથી આવતું. સાંસદો તેમજ ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદો ન માત્ર વિપક્ષના નેતાઓ પરંતુ સત્તાપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. આપણને એવું હોય કે માત્ર લોકોને પડતી તકલીફનું નિરાકરણ નથી થતું પરંતુ ધારાસભ્યો તેમજ સાંસદોના કામો, તેમની સમસ્યાનું નિરાકરણ નથી હોતું. ત્યારે ધારાસભ્યોને પડતી  સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક વિચાર કરવામાં આવી રહ્યો છે કે સચિવાલયમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. સચિવાલયના ચોથા માળે અલાયદો સેલ શરૂ કરવામાં આવશે. મંત્રીઓ ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર સુધી તેમની સમસ્યા પહોંચે તેમજ નિરાકરણ થાય તે માટે એક વિચારણા કરવામાં આવી રહ્યો છે. 


ધારાસભ્યો-સાંસદોની ફરિયાદનું કરાશે નિવારણ

જે સેલ બનાવવાની વિચારણા થઈ રહી છે તેમાં અધિકારીને બેસાડવામાં આવશે. સેલમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ ધારાસભ્યો તેમજ સાંસદોને પડતી મુશ્કેલીઓને સાંભળશે અને સમસ્યાનું નિરાકરણ કરાશે. ઉપરાંત મત વિસ્તારના અનેક પ્રોજેક્ટો પર સીધું મોનિટરિંગ કરવામાં આવશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!