મતવિસ્તારમાં થતા કામોનું મોનિટરિંગ થશે સચિવાલયમાં! ધારાસભ્યો,સાંસદોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કરાશે આ ખાસ વ્યવસ્થા! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 14:11:05

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓને અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. જો અમારી સરકાર ચૂંટાઈને આવશે તો આ કામ કરવામાં આવશે, વિકાસના કામો તેજગતિથી વધશે સહિતના અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાતાની શું હાલત હોય છે તે વાતને આપણે સૌ જાણીએ છીએ. વિપક્ષ દ્વારા અનેક વખત એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે તેમના વિસ્તારમાં કામો નથી થતાં. ન માત્ર વિપક્ષ પરંતુ સત્તા પક્ષના પણ અનેક ધારાસભ્યોએ આ વાત કહી છે. ત્યારે આવી ફરિયાદો તેમજ વાતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય-સાંસદો માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એક સ્પેશિયલ ટીમ બનશે જે મત વિસ્તારમાં થતાં કામોનું મોનિટરિંગ કરી શકે છે.      

   

સચિવાલયમાં સ્પેશિયલ સેલ બનાવવા ચાલતી વિચારણા

અનેક વખત એવી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે તેમના વિસ્તારમાં કામ નથી થતું. ધારાસભ્યો તેમજ સાંસદોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેનું નિરાકરણ થતું નથી. ફરિયાદોનું નિવારણ નથી આવતું. સાંસદો તેમજ ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદો ન માત્ર વિપક્ષના નેતાઓ પરંતુ સત્તાપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. આપણને એવું હોય કે માત્ર લોકોને પડતી તકલીફનું નિરાકરણ નથી થતું પરંતુ ધારાસભ્યો તેમજ સાંસદોના કામો, તેમની સમસ્યાનું નિરાકરણ નથી હોતું. ત્યારે ધારાસભ્યોને પડતી  સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક વિચાર કરવામાં આવી રહ્યો છે કે સચિવાલયમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. સચિવાલયના ચોથા માળે અલાયદો સેલ શરૂ કરવામાં આવશે. મંત્રીઓ ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર સુધી તેમની સમસ્યા પહોંચે તેમજ નિરાકરણ થાય તે માટે એક વિચારણા કરવામાં આવી રહ્યો છે. 


ધારાસભ્યો-સાંસદોની ફરિયાદનું કરાશે નિવારણ

જે સેલ બનાવવાની વિચારણા થઈ રહી છે તેમાં અધિકારીને બેસાડવામાં આવશે. સેલમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ ધારાસભ્યો તેમજ સાંસદોને પડતી મુશ્કેલીઓને સાંભળશે અને સમસ્યાનું નિરાકરણ કરાશે. ઉપરાંત મત વિસ્તારના અનેક પ્રોજેક્ટો પર સીધું મોનિટરિંગ કરવામાં આવશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.