પાણીની સમસ્યાને લઈ રાજકોટની મહિલાઓએ કર્યો મનપા કચેરી બહાર હોબાળો, મહિલાઓએ લગાવ્યા પાણી આપો પાણી આપોના નારા


  • Published By :
  • Published Date : 2023-02-17 15:12:53

ઉનાળાના સમય દરમિયાન પાણીનો વપરાશ વધી જતો હોય છે. ત્યારે આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. પાણીની અછતને કારણે રાજકોટમાં વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રજૂઆત માટે મહિલાઓને મેયર કે મ્યુ. કમિશ્નરની સાથે મુલાકાત ન કરાવવામાં આવતા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ વધતા અમુક મહિલાઓને મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા.  

મહિલાઓએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા.


મહિલાઓએ મનપા કચેરી ખાતે કર્યો હોબાળો

થોડા દિવસો બાદ ઉનાળાની શરૂઆત થવાની છે. ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં ભારે વધારો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની સમસ્યા સામે આવી છે. જેને લઈ વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન મળતા હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. 

અંતે મહિલાઓએ મેયરને રજૂઆત કરી હતી.

આજે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી.


ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

થોડા સમય પહેલા રજૂ કરાયેલા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ વાતને લઈને જ વોર્ડ નંબર 11ની મહિલાઓ દ્વારા આ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. 


વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા કરાયો હતો વિરોધ 

કલેક્ટરને અથવા તો મ્યુ. કમિશનરને મળવાની વાત કરી હતી પરંતુ તેમની મુલાકાત કરાવવામાં આવી ન હતી. જે બાદ મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. ભારે વિરોધ બાદ 5 મહિલાઓને મેયર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક આ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.