આતુરતાનો આવ્યો અંત, આ તારીખે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-04 15:46:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ ચર્ચાઓમાં આવી ગઈ છે. બેશરમ રંગ સોન્ગને કારણે ફિલ્મ વિવાદનો શિકાર બની છે. આ ગીતનો વિરોધ અનેક લોકો તેમજ સંગઠનનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. 10 જાન્યુઆરી આસપાસ આ ફિલ્મનું ટ્રેલર બહાર આવી જશે તેવી માહિતી સામે આવી રહી છે. 


બેશરમ રંગ સોન્ગને કારણે છેડાયો વિવાદ

શાહરૂખ ખાનની અનેક ફિલ્મો રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી છે. શાહરૂખ અને દિપીકાની પઠાણ ફિલ્મ પણ વિવાદનો શિકાર બની છે. આ ફિલ્મમાં દિપીકા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મના અનેક ગીત પણ રિલીઝ થઈ ગયા છે. તેમાં બેશમ સોન્ગને કારણે ફિલ્મ વિવાદમાં આવી છે. આ ગીતમાં દિપીકાએ ભગવા રંગની બિકીની પહેરી છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો.  આ રંગને હિંદુત્વની ભાવના સાથે જોડી દેવામાં આવ્યો હતો. 


10 જાન્યુઆરીએ ટ્રેલર થઈ શકે છે રિલીઝ 

અનેક સ્થળો પર પઠાણ ફિલ્મને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં  આવ્યું છે. અનેક લોકોએ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023એ રિલીઝ થશે તેવા સમાચાર મળી રહ્યા છે.


SRKના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ 

25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પર્દા પર દેખાવાના છે. આ ફિલ્મના બે સોન્ગ રિલીઝ થઈ ગયા છે. ત્યારે 10 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે તેવું હાલ લાગી રહ્યું છે. દર્શકો અને તેમના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે