આતુરતાનો આવ્યો અંત, Tata Technologiesનો IPO થયો લોન્ચ, જાણો તમામ વિગતો


  • Published By :
  • Published Date : 2023-11-20 18:12:48

દેશના લાખો રોકાણકારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ટાટા ગ્રુપની કંપની Tata Technologiesનો  IPO આવી ગયો છે. આ કંપનીના શેરમાં રોકાણકારોએ માત્ર 15 હજારનું રોકાણ કરવાનું છે. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો આઈપીઓ 20 વર્ષ બાદ આવી રહ્યો છે. છેલ્લે 2004માં  Tata Groupએ તેની જાણીતી કંપની ટાટા કન્સલ્ટન્સી (TCS)નો  IPO લોન્ચ કર્યો હતો. જેને તે સમયે પણ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આવો જાણીએ Tata Technologiesના IPOની કેટલીક મહત્વની બાબતો....


Tata Technologiesના IPOની મહત્વની વિગતો


લિસ્ટીંગ તારીખ-  22 નવેમ્બર


IPOની કુલ સાઈઝ- 3,042.51 કરોડ રૂપિયા


એક લોટની કિંમત- 15 હજાર રૂપિયા


IPOની લોટ સાઈઝ- 30 શેર


IPOની પ્રાઈઝ બેન્ડ-  475-500 પ્રતિ શેર


શેર એલોટમેન્ટની તારીખ-30 નવેમ્બર


ડિમેટ એકાઉન્ટમાં શેર- 4 ડિસેમ્બરે આવશે શેર


બજારમાં લિસ્ટીગની તારીખ- 5 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ


શા માટે IPO? 


Tata Technologiesના પ્રમોટરો આ IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આ આઈપીઓ ઓપન ફોર સેલ પર આધારીત હશે. ઉલ્લેખનિય છે કે આ IPO દ્વારા પહેલા 9.57 કરોડ શેર વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પ્રમોટરોએ 60,850,278 શેર વેચવાનો ફેંસલો કર્યો હતો.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.