Suratના કોર્પોરેટરે શેર કર્યો વીડિયો, બસમાં મુસાફરો પર કરવામાં આવતી દાદાગીરી સામે આવી! જુઓ મુસાફરો સાથે કેવું કરાયું વર્તન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:29:49

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરી સાફ જોવા મળતી હોય છે. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બસ કન્ડક્ટર બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો છે. પૈસા લઈ લેતો હતો પરંતુ બસની ટિકીટ આપવામાં ન આવતી હતી. જેને કારણે લોકોએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને વીડિયો ઉતારવાની ના પાડી દીધી. ત્યાં ઉપસ્થિત લોકોએ વાતનો વિરોધ કર્યો હતો.  

પૈસા લીધા બાદ પણ મળતી ન હતી ટિકિટ 

સુરત શહેરના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સુરત શહેરની બસનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોક પાસેનો છે જેમાં શહેરની બસના કંડક્ટર મુસાફરો સામે દાદાગીરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો તેને પૂછે છે કે રૂપિયા લો છો તો ટિકિટ શા માટે નથી આપતા. મુસાફરોએ માગ કરી હતી કે લુખ્ખા દાદાગીરી કરતા કંડક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ. 



જો મહિલા સિવાય કોઈ પૂરૂષે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો!

જે મહિલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમણે સવાલ કર્યો કે વીડિયો શું કામ નહીં ઉતારવાનો. સવાલ કર્યો એટલે તે શાંત થયો. આ પ્રશ્ન મહિલાએ ઉઠાવ્યો હતો એટલે ગુસ્સામાં આવેલા બીજા ભાઈ શાંત પડ્યા. જો તે મહિલા ન હોત તો સામે ગુસ્સામાં આવેલા વ્યક્તિએ મારપીટ પણ કરી હોત કારણ કે તેમના કાંડનો પર્દાફાશ થઈ જવાનો હતો. 



બસમાં સવાર મુસાફરોએ ઉઠાવ્યો દાદાગીરી વિરૂદ્ધ અવાજ 

ખબર નહીં કેટલા લોકો પાસેથી કંડક્ટર આવી રીતે રૂપિયા લેતા હશે અને ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી લેતા હશે. સુરત મહાનગર પાલિકાની જ આ સમગ્ર જવાબદારી છે કે આવા લોકો સામે કાર્યવાહી કરે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે જનતાએ અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં ખોટું થતું હોય અને આપણે અવાજ નથી ઉઠાવતા ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી રહ્યા છીએ. બસમાં સવાર મુસાફરોની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે તેમણે ખોટું થઈ રહ્યું હતું તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.