મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચૂકાદો, જયસુખ પટેલને અપાઈ આ સજા


  • Published By :
  • Published Date : 2023-02-08 16:58:56

મોરબીમાં દિવાળી સમયે હોનારત સર્જાઈ હતી. ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. ઘટનાના અનેક મહિનાઓ બાદ ઓરેવા કંપનીના માલિક સામે આવ્યા. આ કેસની સુનાવણી મોરબીની ચીફ જ્ડુડિશિયલ કોર્ટમાં ચાલી રહી હતી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરાયા હતા. આ મામલે પોલીસ વધુ રિમાન્ડ ન માગતા જેલ હવાલે કરાયા હતા.         


135 જેટલા લોકોના થયા મોત   

દિવાળીના સમયે એક તરફ લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 


જેલ હવાલે થશે જયસુખ પટેલ 

આ મામલે અંદાજીત 10 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે રિમાન્ડની માગ ન કરતા જયસુખ પટેલની મેડિકલ તપાસ કર્યા બાદ જેલ હવાલે કરાશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.