કેરળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આવી વિવાદમાં! વંદે ભારત પર કોંગ્રેસ સાંસદનો ફોટો દેખાતા સર્જાયો વિવાદ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-04-26 09:55:45

મંગળવારે એટલે કે ગઈકાલે વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનને શરૂ થયે હજી અમુક કલાકો થયા છે. પરંતુ વંદે ભારત ટ્રેન વિવાદમાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનૂર જંક્શન પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વી.કે શ્રીકંદનના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અને આ જ પોસ્ટર વિવાદનું કારણ પણ બન્યા. ભાજપ દ્વારા આ વાતનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોસ્ટર લગાવવા વાળા પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.  

मीडिया रिपोर्ट्स के मुताबिक, शोरानूर जंक्शन पर वंदे भारत के स्वागत के लिए कांग्रेस कार्यकर्ता मौजूद थे।

કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા કોંગ્રેસ સાંસદના પોસ્ટર 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેરળમાં પણ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારે કેરળમાં શરૂ થયેલી ટ્રેન તિરૂવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ દેશની 15મી વંદેભારત ટ્રેન છે. ત્યારે કેરળની વંદે ભારત વિવાદમાં આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનુર પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનના પોસ્ટર લગાવી દીધા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

     

આ ઘટના પર સાંસદે આપી પ્રતિક્રિયા!

આ ઘટના સામે આવતા ભાજપ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ઘટનાની નિંદા કરી છે. એવો આરોપ પણ લગાવ્યો હતો કે આ હરકત સાંસદના સમર્થકોની છે અને કાર્યકર્તા આવી રીતે ગંદા વ્યવહાર કેવી રીતે કરી શકે છે. આ મામલે કોંગ્રેસે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે ટ્રેન પર પોસ્ટર લગાવવા માટે કહેવામાં આવ્યું ન હતું. શ્રીકંદને પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની જાણકારી વિના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દ્વારા જાણીજોઈને વિવાદ ઉભો કરવામાં આવે છે.    



કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?